Site icon

જેનિફર મિસ્ત્રી એ અસિત મોદી પર લગાવ્યા નવા આરોપ અને આપી બદદુઆ, નટુકાકા અને શૈલેષ લોઢા વિશે કહી આ વાત

તારક મહેતા માં મિસિસ સોઢીની ભૂમિકા ભજવનાર જેનિફરે જણાવ્યું છે કે તેને, મોનીકા ને અને નટુકાકા ને પણ હેરાન કરવામાં આવતા હતા. તેમજ અભિનેત્રી એ જણાવ્યું કે,જ્યારે શૈલેષ લોઢાએ શો છોડી દીધો ત્યારે તેણે અંગત રીતે અભિનેતાનો સંપર્ક કર્યો હતો.

jennifer mistry recall old days when mkoc producer asit modi not allowing her to visit critically ill brother

જેનિફર મિસ્ત્રી એ અસિત મોદી પર લગાવ્યા નવા આરોપ અને આપી બદદુઆ, નટુકાકા અને શૈલેષ લોઢા વિશે કહી આ વાત

News Continuous Bureau | Mumbai

ફેમિલી એન્ટરટેઈનર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવીને ઘર-ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે શોને અલવિદા કહી દીધું છે. અભિનેત્રીએ શોના નિર્માતા અસિત મોદી પર શારીરિક અને માનસિક શોષણનો આરોપ લગાવ્યો છે. તે જ સમયે, હવે જેનિફર જૂની ક્ષણોને યાદ કરીને ભાવુક થતી જોવા મળી રહી છે. જેનિફરે લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં અસિત મોદીની એક નવી વાત કહી છે, જેના કારણે તેને ખૂબ જ પરેશાન થવું પડ્યું છે.

Join Our WhatsApp Community

 

જેનિફરે ઇન્ટરવ્યૂ માં નટુકાકા અને શૈલેષ લોઢા વિશે કહી આ વાત 

જેનિફરે કહ્યું કે મેકર્સે તેને, મોનિકા ભદોરિયા અને નટ્ટુ કાકા ઉર્ફે ઘનશ્યામ નાયકને ખૂબ હેરાન કર્યા હતા. તેને કર્મનું કાર્ય ગણાવતા મિસ્ત્રીએ કહ્યું, ‘તે મારા ભાઈનો આત્મા છે, મોનિકાની માતાનો આત્મા છે, નટ્ટુ કાકાનો આત્મા છે. આ લોકો દ્વારા નટુ કાકાને ખૂબ હેરાન કરવામાં આવ્યા હતા.જેનિફર મિસ્ત્રીએ કહ્યું કે તેણે શૈલેષ લોઢાને શોમાં પાછા આવવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો હતો. અભિનેત્રીએ ઉમેર્યું, ‘મેં તેને કહ્યું હતું કે તમે પાછા આવો, તમારી જગ્યા કોઈ નહીં લઈ શકે, પરંતુ તેણે મને કહ્યું કે જેની નહીં, હવે તે મારા સ્વાભિમાનનો પ્રશ્ન છે.’

આ સમાચાર પણ વાંચો: ફાટેલા હોઠ, ચહેરા પર ઉઝરડા ના નિશાન,જાણો કોણ છે અદા શર્મા ની આવી હાલત નો જવાબદાર!

જેનિફરે તેના ભાઈ ને લઇ ને કહી આ વાત 

જેનિફર મિસ્ત્રીએ તેના તાજેતરના ઇન્ટરવ્યુમાં શેર કર્યું હતું કે નિર્માતા અસિત મોદીએ તેને નાગપુર જવા બાબતે અને  તેના ગંભીર રીતે બીમાર નાના ભાઈને જોવાની મંજૂરી આપી ન હતી જેનિફરે કહ્યું કે જ્યારે તેનો નાનો ભાઈ ગંભીર હાલતમાં હતો ત્યારે પણ તેને કામ કરવાની ફરજ પડી હતી. અભિનેત્રીએ કહ્યું, ‘મેં તેને કહ્યું કે મારો ભાઈ વેન્ટિલેટર પર છે અને મારે નાગપુર જવું છે. આના પર તેણે જવાબ આપ્યો કે તું તારું શૂટ છોડી શકતી નથી. જેનિફરે કહ્યું કે તેના ભાઈને ગુમાવ્યા બાદ તે બીમાર પડી ગઈ હતી અને તેનું વજન ઘણું ઘટી ગયું હતું.અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે નિર્માતા અસિત મોદી વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો છે. અસિત મોદી ઉપરાંત અભિનેત્રીએ શોના નિર્માતાઓ પર પણ આરોપ લગાવ્યો છે અને દાવો કર્યો છે કે તેણીએ અગાઉ પણ તેમની સામે ફરિયાદ નોંધાવી છે.

Dhurandhar OTT Controversy: અનકટના નામે છેતરપિંડી? રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ ના OTT વર્ઝનમાં સેન્સરશિપને લઈને વિવાદ, નેટફ્લિક્સ પર ફેન્સનો રોષ
Daldal Review: કોઈ મસાલો કે શોરબકોર નથી, છતાં હચમચાવી દેશે ભૂમિ પેડનેકરની ‘દલદલ’, વાંચો સંપૂર્ણ રિવ્યુ
Kohrra Season 2 Trailer Out: પંજાબની ધુમ્મસમાં છુપાયેલા છે ખૌફનાક રહસ્યો; મોના સિંહ અને બરુણ સોબતીની જોડી ઉકેલશે મર્ડર મિસ્ટ્રી
Mardaani 3 First Review: રાની મુખર્જીનો દમદાર અંદાજ અને વિજય વર્માનો ખૌફનાક લૂક; જાણો જોવી જોઈએ કે નહીં ‘મર્દાની 3’?
Exit mobile version