News Continuous Bureau | Mumbai
Kajol Happy Married Life Secret: બોલીવૂડ અભિનેત્રી કાજોલ હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘મા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં એક મીડિયા ને આપેલા ઇન્ટરવ્યૂમાં તેણે અજય દેવગન સાથેના લાંબા અને ખુશહાલ લગ્નજીવન વિશે વાત કરી. કાજોલે હસતાં હસતાં કહ્યું કે “એક ખુશહાલ લગ્નનું રહસ્ય છે – થોડું બહેરું હોવું અને પસંદગીથી ભૂલી જવાની ટેવ.”
આ સમાચાર પણ વાંચો : Kannappa and MAA: ‘કન્નપ્પા’ અને માં ના બોક્સ ઓફિસ પર ટકરાવ હોવા છતાં અક્ષય કુમાર અને અજય દેવગન એ આ રીતે નિભાવી મિત્રતા, લોકો કરી રહ્યા છે વખાણ
અલગ પર્સનાલિટીના વચ્ચે સંબંધ કેવી રીતે સંભવ?
કાજોલે જણાવ્યું કે અજય ખૂબ ઓછું બોલે છે જ્યારે તે ખૂબ બોલે છે. આ બંનેની પર્સનાલિટી એકબીજાથી બિલકુલ અલગ છે, છતાં તેમનો સંબંધ મજબૂત છે. “કેટલીક વાતો કહેવી જરૂરી હોય છે અને કેટલાંક શબ્દો સાંભળવા નહીં એ પણ એટલું જ જરૂરી છે,” એમ કાજોલે ઉમેર્યું.કાજોલે અજયની રસોઈની પ્રશંસા કરતા કહ્યું કે “અજય કોઈ પણ વાનગી એકવાર ચાખીને એ કેવી રીતે બનાવવી એ જાણી જાય છે. પણ એ ક્યારેય પોતાની રેસીપી નું સિક્રેટ ઇન્ગ્રેડિએન્ટ નહીં જણાવે.”
View this post on Instagram
કાજોલ અને અજય દેવગન 1999માં લગ્નબંધનમાં બંધાયા હતા. લગ્ન પહેલા તેઓ ચાર વર્ષ સુધી ડેટિંગમાં હતા. બંનેના બે બાળકો છે – નિસા અને યુગ . બંને સોશિયલ મીડિયા પર પરિવાર સાથેની મજેદાર તસવીરો શેર કરતા રહે છે. સ્ક્રીન પર અને ઓફ સ્ક્રીન બંનેમાં તેમની કેમિસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ આવે છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)