કંગનાને મહારાષ્ટ્રમાં રહેવાનો કોઈ અધિકાર નથી – મહારાષ્ટ્રના ગૃહ પ્રધાનનું મોટું નિવેદન

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

04 સપ્ટેમ્બર 2020

જ્યારથી મુંબઇ પોલીસ પર અભિનેત્રી કંગનાએ ટ્વિટ કર્યું છે ત્યારથી રાજકારણ ગરમાયુ છે. પહેલા શિવસેના સાંસદ સંજય રાઉત બાદ હવે રાજ્યના ગૃહમંત્રી અનિલ દેખમુખે સ્પષ્ટ કર્યું છે કે 'જો કંગનાને મુંબઈમાં સલામત ન લાગતું હોય તો તેને મુંબઈ અને મહારાષ્ટ્રમાં રહેવાનો કોઈ અધિકાર નથી.'

મહારાષ્ટ્ર અને મુંબઈ પોલીસની તુલના સ્કોટલેન્ડ યાર્ડયાર્ડ પોલીસ સાથે કરવામાં આવે છે. મહારાષ્ટ્ર અને મુંબઇની પોલીસ ખૂબ જ કાર્યક્ષમ રીતે કાર્ય કરી રહી છે. કોરોનાના સમયમાં પણ, બધાએ જોયું કે પોલીસે કેવી રીતે સંક્રમણને રોકવા માટે કામ કર્યું હતું, આવી સ્થિતિમાં કોઈ ફિલ્મ અભિનેત્રી પોલીસ માટે આવું નિવેદન આપે એ હાસ્યાસ્પદ છે. મહારાષ્ટ્ર અને મુંબઈ પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સક્ષમ છે. જો તેઓને મહારાષ્ટ્ર અને મુંબઇમાં સલામતી ન લાગતી હોય તો તેમને અહીં રહેવાનો કોઈ અધિકાર નથી. એમ પણ અનિલ દેશમુખે કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે અગાઉ કંગનાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા શિવસેનાના સાંસદ સંજય રાઉતે ટીકા કરી કંગના પર કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તે પછી ખુદ ગૃહમંત્રીએ કંગનાના નિવેદન પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. કંગનાએ જે રીતે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર સાથે મુંબઈની તુલના કરી એ બાદ બોલિવૂડ સહિતના રાજકીય નેતાઓ ગુસ્સે થયા છે. આવુ હોવા છતાં કંગનાએ ફરી એકવાર ટ્વીટ કર્યું હતું કે 'હું 9 સપ્ટેમ્બરના રોજ મુંબઇ આવી રહી  છું, જો કોઈનામાં હિંમત હોય તો મને રોકી બતાવે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More