સીએસકેને વધુ એક ઝટકો, રૈના બાદ આ ખિલાડી પણ આઈપીએલમાંથી બહાર થયો. જાણો વિગતે

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

04 સપ્ટેમ્બર 2020

સંયુક્ત અરબ અમીરાતમાં 19 સપ્ટેમ્બર થી શરૂ થઇ રહેલી IPL માં ચેન્નઈ સુપર કિંગ્સને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. IPLના 3 ટાઈટલ જીતી ચૂકેલી ચેન્નઈની ટીમથી સુરેશ રૈના પહેલેથી જ અંગત કારણોને લઇ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે. હજુ તો રૈના સાથેનો વિવાદ થંભ્યો પણ નહોતો, એવામાં વધુ એક CSK ખેલાડી હરભજને આઈપીએલમાં ન રમવાનો નિર્ણય કર્યો છે. એવુ મનાય છે કે, હરભજને કોરોના વાયરસના ડરથી આઈપીએલમાં નહીં રમવાનુ નક્કી કર્યુ છે. નોંધપાત્ર વાત છે કે હરભજન યુએઈ ગયેલી ટીમમાં જોડાયો નહોતો અને ત્યારથી જ તેના રમવા અંગે અટકળો શરુ થઈ ગઈ હતી.જોકે ભજ્જીએ આજે ટીમને સત્તાવાર રીતે આ સિઝનમાં નહીં રમવા અંગે જાણ કરી દીધી છે.તેણે વ્યક્તિગત કારણસર નહીં રમવાનો નિર્ણય કર્યો છે. આ વ્યક્તિગત કારણ શું છે તેની હજુ સુધી કોઈ જાણ નથી.  

ઉલ્લેખનીય છે કે, IPL 2020 શરૂ થાય તે પહેલાથી જ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ સતત ચર્ચામાં છે. સૌથી પહેલા આ ટીમના બે ખેલાડીઓ સહિત 13 સ્ટાફ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યુ હતું. ત્યાર પછી આ ટીમના અનુભવી અને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા સુરેશ રૈના પહેલેથી જ અંગત કારણોને લઇ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો…

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More