Site icon

કંગનાને મહારાષ્ટ્રમાં રહેવાનો કોઈ અધિકાર નથી – મહારાષ્ટ્રના ગૃહ પ્રધાનનું મોટું નિવેદન

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

04 સપ્ટેમ્બર 2020

જ્યારથી મુંબઇ પોલીસ પર અભિનેત્રી કંગનાએ ટ્વિટ કર્યું છે ત્યારથી રાજકારણ ગરમાયુ છે. પહેલા શિવસેના સાંસદ સંજય રાઉત બાદ હવે રાજ્યના ગૃહમંત્રી અનિલ દેખમુખે સ્પષ્ટ કર્યું છે કે 'જો કંગનાને મુંબઈમાં સલામત ન લાગતું હોય તો તેને મુંબઈ અને મહારાષ્ટ્રમાં રહેવાનો કોઈ અધિકાર નથી.'

મહારાષ્ટ્ર અને મુંબઈ પોલીસની તુલના સ્કોટલેન્ડ યાર્ડયાર્ડ પોલીસ સાથે કરવામાં આવે છે. મહારાષ્ટ્ર અને મુંબઇની પોલીસ ખૂબ જ કાર્યક્ષમ રીતે કાર્ય કરી રહી છે. કોરોનાના સમયમાં પણ, બધાએ જોયું કે પોલીસે કેવી રીતે સંક્રમણને રોકવા માટે કામ કર્યું હતું, આવી સ્થિતિમાં કોઈ ફિલ્મ અભિનેત્રી પોલીસ માટે આવું નિવેદન આપે એ હાસ્યાસ્પદ છે. મહારાષ્ટ્ર અને મુંબઈ પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સક્ષમ છે. જો તેઓને મહારાષ્ટ્ર અને મુંબઇમાં સલામતી ન લાગતી હોય તો તેમને અહીં રહેવાનો કોઈ અધિકાર નથી. એમ પણ અનિલ દેશમુખે કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે અગાઉ કંગનાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા શિવસેનાના સાંસદ સંજય રાઉતે ટીકા કરી કંગના પર કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તે પછી ખુદ ગૃહમંત્રીએ કંગનાના નિવેદન પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. કંગનાએ જે રીતે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર સાથે મુંબઈની તુલના કરી એ બાદ બોલિવૂડ સહિતના રાજકીય નેતાઓ ગુસ્સે થયા છે. આવુ હોવા છતાં કંગનાએ ફરી એકવાર ટ્વીટ કર્યું હતું કે 'હું 9 સપ્ટેમ્બરના રોજ મુંબઇ આવી રહી  છું, જો કોઈનામાં હિંમત હોય તો મને રોકી બતાવે.

Madhubala Biopic: અનીત પડ્ડા નહીં, તો કોણ? મધુબાલાના રોલ માટે સોશિયલ મીડિયા પર આ એક્ટ્રેસનું નામ થયું ટ્રેન્ડ; ફેન્સે મેકર્સ પાસે કરી મોટી માંગ
Randeep Hooda Baby Girl: રણદીપ હુડ્ડાના ઘરે લક્ષ્મી પધારી! પિતાના બર્થડે પર દીકરીનો જન્મ થતા અભિનેતા થયો ભાવુક; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસવીર
Dhurandhar 2: રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’ માં યામી ગૌતમ સહિત આદિત્ય ધરના પરિવારના 4 સભ્યો, જાણો કોણ કઈ ભૂમિકામાં છે
Dhurandhar 2 Paid Preview:શું તમે પણ જોવા માંગો છો ‘ધુરંધર 2’ ના સ્પેશિયલ શો? જાણો પેઇડ પ્રીવ્યુ માટે કેટલી રાખવામાં આવી છે ટિકિટની કિંમત; બુકિંગ શરૂ
Exit mobile version