News Continuous Bureau | Mumbai
Kushal Tandon and Shivangi Joshi: ટીવી જગતના લોકપ્રિય કપલ શિવાંગી જોશી અને કુશાલ ટંડન હવે સાથે નથી. બંનેએ થોડા સમય પહેલા એકબીજાને સોશિયલ મીડિયા પર અનફોલો કર્યા હતા,, જેના કારણે તેમના બ્રેકઅપની ચર્ચાઓ તેજ થઈ હતી. હવે કુશાલે પોતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા ખુલાસો કર્યો છે કે તેઓ છેલ્લા 5 મહિના થી સાથે નથી.
આ સમાચાર પણ વાંચો : Sunjay Kapur: કરિશ્મા કપૂર ને સંજય કપૂરે છૂટાછેડા બાદ આપી હતી અધધ આટલી એલેમની, બાળકો ના ભરણપોષણ માટે પણ ચુક્વતો હતો રૂપિયા
“બડે અચ્છે લગતે હૈ” શો માટે શુભેચ્છા પણ ન આપી
કુશાલ ટંડને તેની ઇન્સ્ટા સ્ટોરી માં લખ્યું, “હું જે લોકોને પ્રેમ કરું છું, તેમને હું ફક્ત એટલું જ જણાવવા માંગુ છું કે શિવાંગી અને હું હવે સાથે નથી. અમારા બ્રેકઅપને 5 મહિના થઈ ગયા છે. તો હા, અમે સાથે નથી.” શિવાંગી જોશી હાલમાં “બડે અચ્છે લગતે હૈ” ના નવા સીઝન માટે ચર્ચામાં છે. કુશાલે તેને આ નવા શો માટે કોઈ પણ પ્રકારની શુભેચ્છા આપી નથી, જેનાથી સ્પષ્ટ થાય છે કે બંને વચ્ચે હવે કોઈ સંબંધ નથી.કુશાલ ટંડન દ્વારા બ્રેકઅપની પુષ્ટિ પછી પણ શિવાંગી જોશી તરફથી હજુ સુધી કોઈ જાહેર પ્રતિક્રિયા આવી નથી. ફેન્સ બંનેના બ્રેકઅપથી નિરાશ છે, કારણ કે તેમની જોડી ખૂબ જ લોકપ્રિય હતી.
Was he drunk yesterday night 🌚#kushaltandon #shivangijoshi #kushiv pic.twitter.com/Za05Ikbhs4
— H⭐️ (@sparnod1) June 15, 2025
શિવાંગી અને કુશાલ વચ્ચેનો પ્રેમ શો “બરસાતે – મોસમ પ્યાર કા” ના સેટ પર શરૂ થયો હતો. ઓક્ટોબર 2023માં બંનેએ પોતાના સંબંધની પુષ્ટિ કરી હતી. કુશાલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમના માતા-પિતા હવે “સારી છોકરી” શોધવાનું બંધ કરી ચૂક્યા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)