Site icon News Continuous Bureau | Mumbai

Lapataganj : ટીવી સીરીયલ ‘લાપતાગંજ ’ના આ અભિનેતાએ દુનિયાને કહ્યું અલવિદા, આ કારણે હતો તે પરેશાન

Lapataganj : લાપતાગંજના પ્રખ્યાત અભિનેતા અરવિંદ કુમારનું નિધન થયું છે. તેના કો-સ્ટાર રોહિતાશ્વ ગૌરે છેલ્લા દિવસોમાં તેની હાલત વિશે જણાવ્યું છે.

lapataganj chaurasiya actor arvind kumar passed away

lapataganj chaurasiya actor arvind kumar passed away

News Continuous Bureau | Mumbai

Lapataganj : ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક દુખદ સમાચાર છે. સિરિયલ ‘લાપતાગંજ’માં ચૌરસિયાનો રોલ કરનાર અભિનેતા અરવિંદ કુમાર(Arvind Kumar) હવે નથી રહ્યા. હૃદયરોગના હુમલાને(Heart Attack) કારણે તેમનું મૃત્યુ(Passed away) થયું હતું. આ સિરિયલમાં મુખ્ય ભૂમિકા ભજવી રહેલા અભિનેતા રોહિતાશ્વ ગૌરે આ વાતની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું કે અરવિંદ કુમાર આર્થિક તંગીના કારણે ખૂબ જ પરેશાન હતા. તેમને મંગળવારે (11 જુલાઈ)ના રોજ હાર્ટ એટેક આવ્યો હતો. તે શૂટિંગ માટે જઈ રહ્યો હતો ત્યારે તેને હાર્ટ એટેક આવ્યો. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેને બચાવી શકાયો નહોતો.

Join Our WhatsApp Channel

આર્થિક તંગી થી ઝઝૂમી રહ્યો હતો અરવિંદ કુમાર

મીડિયા સાથે વાત કરતા ‘ભાભી જી ઘર પર હૈ’ ફેમ રોહિતાશ્વ એ કહ્યું, ‘હા બે દિવસ પહેલા તેનું નિધન થયું છે અને આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ સમાચાર છે. લાપતાગંજ પુરી થયા પછી અમે ફોન પર વાત કરતા હતા. હૃદયરોગના હુમલાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. આર્થિક તંગીના કારણે તે ખૂબ જ તણાવમાં હતો.રોહિતાશ્વે એ પણ જણાવ્યું કે તેણે ક્યારેય અરવિંદના પરિવાર સાથે વાત કરી નથી કારણ કે તે ગામમાં રહેતો હતો અને ફોન દ્વારા અભિનેતાના સંપર્કમાં હતો. તેણે કહ્યું, ‘તે મારી સાથે આ વિશે વાત કરતો હતો કારણ કે કોરોના પીરિયડ પછી અભિનેતાઓ માટે વસ્તુઓ ખૂબ મુશ્કેલ બની ગઈ હતી અને તે પણ સંઘર્ષ કરી રહ્યો હતો. આવા મુશ્કેલ સમયમાં કલાકારોની મદદ માટે કોઈ આગળ આવતું નથી. હું નસીબદાર છું કે મને નોકરી મળી. તણાવ પોતે જ હાર્ટ એટેકનું કારણ બને છે. તેનો પરિવાર ગામમાં હતો તેથી મેં તેની સાથે ક્યારેય વાત કરી ન હતી. કે હું તેને ક્યારેય મળ્યો નથી.’

આ સમાચાર પણ વાંચો:  Chandrayaan 3: શ્રીહરિકોટાથી ચંદ્રયાન 3નું થયું સફળ લોન્ચિંગ, હવે આ તારીખે થશે સોફ્ટ લેન્ડિંગ..

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Spin Off| ટીવી શો ‘ક્યોંકી સાસ… ૨’ નો નવો સ્પિનઓફ થશે લોન્ચ, આ બે પોપ્યુલર કપલની થશે એન્ટ્રી
Tina Ambani। ટીના અંબાણીએ ગ્લેમરસ દુનિયા કેમ છોડી? વર્ષો પછી ભાણીએ સોશિયલ મીડિયા પર કર્યો મોટો ખુલાસો; વાંચીને આંખો ભરાઈ આવશે!
Don 3 Controversy Ranveer Singh| ફરહાન અખ્તર સાથેના અણબનાવની અફવાઓ વચ્ચે રણવીર સિંહે ફેંક્યો નવો દાવ; ફેન્સ પણ ચોંકી ગયા!
Yeh Rishta Kya Kehlata Hai Twist| કોર્ટ મેરેજ પહેલા અરમાનના મોતનો ટ્વિસ્ટ? મુશ્કેલીમાં મુકાશે અભીરાની જીંદગી!
Exit mobile version