કોરોના જ નહીં વધુ એક બીમારી સામે ઝઝૂમી રહ્યા છે ‘લતા દીદી’, હજુ આટલા દિવસ સુધી નહીં મળે હોસ્પિટલમાંથી રજા; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,12 જાન્યુઆરી 2022

બુધવાર. 

ભારતરત્ન સહિતના એવોર્ડથી નવાજિત થયેલા કોકિલકંઠી ગાયિકા લતા મંગેશકર હાલમાં માત્ર કોરોના વાયરસ જ નહીં પરંતુ અન્ય એક બીમારી સાથે પણ યુદ્ધ લડી રહ્યા છે. કોરોના પોઝિટિવ હોવાની સાથે લતા દીદીને ન્યુમોનિયા પણ થયો છે. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ડોકટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે. 

લિજેન્ડરી સિંગર લતા મંગેશકર હાલ કોરોનાને કારણે ICUમાં દાખલ છે. તેમની હાલત પહેલા કરતાં સુધરી રહી છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર લતા મંગેશકર હવે 10-12 દિવસ ડોક્ટરોની દેખરેખમાં રહેશે. રિપોર્ટ્સ અનુસાર, 92 વર્ષીય લતા મંગેશકર ઉંમરને કારણે અન્ય ઘણી સમસ્યાઓથી પણ પરેશાન છે, જેના કારણે ડોક્ટર્સ તેમની ખાસ કાળજી લઈ રહ્યા છે. 

શું મુંબઈમાં ત્રીજી લહેર નિયંત્રણમાં આવી રહી છે? BMC કમિશનર ઈકબાલસિંહ ચહલે કહી દીધી આ મોટી વાત; જાણો વિગત

લતા મંગેશકરના ભત્રીજી રચના શાહનુ કહેવુ છે કે, તેમને કોરોનાના હળવા લક્ષણો છે પણ તેમની વય 92 વર્ષ હોવાથી ડોકટરોએ સલાહ આપી છે કે, તેમને આઈસીયુમાં રાખવા જોઈએ. તેમને દેખભાળની જરુર છે અને કોઈ ચાન્સ લેવા માંગતા નથી. પરિવારના સભ્યો તરીકે અમે ચોવીસ કલાક તેમની તબિયત પર નજર રહે તેવું ઈચ્છીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, 13 વર્ષથી પોતાની સિંગિંગ કેરિયર શરૂ કરનારા લતાજી ભારતીય ભાષાઓમાં 30000થી વધારે ગીતો ગાઈ ચુકયા છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More