Kishore Kumar-Madhubala Relation: મધુબાલા વિશે કિશોર કુમારે કહી હતી આ મોટી વાત, જાણો બોલિવૂડની બ્યુટી ક્વીનના છેલ્લા દિવસોનું સત્ય.

Kishore Kumar-Madhubala Relation: દિલીપ કુમાર સાથે બ્રેકઅપ બાદ મધુબાલાએ કિશોર કુમાર સાથે લગ્ન કર્યા, પરંતુ અંતિમ સમયે મળ્યો માત્ર એકાંત અને આંસુ

by Zalak Parikh
Madhubala’s Tragic Love Life: When Kishore Kumar Called Her ‘Dilip Kumar’s Girlfriend’ During Her Final Days

News Continuous Bureau | Mumbai

Kishore Kumar-Madhubala Relation: હિન્દી સિનેમાની સૌથી સુંદર અભિનેત્રી ગણાતી મધુબાલાની જિંદગી કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નહોતી. ૧૪ ફેબ્રુઆરી ૧૯૩૩ના રોજ જન્મેલી મુમતાઝ જહાં દેહલવી ઉર્ફે મધુબાલાએ પડદા પર રાજ તો કર્યું, પણ અંગત જીવનમાં તેને હંમેશા પ્રેમ માટે તરસવું પડ્યું. દિલીપ કુમાર સાથેના બ્રેકઅપ બાદ મધુબાલાના જીવનમાં કિશોર કુમારની એન્ટ્રી થઈ, પરંતુ આ સંબંધ પણ તેને સુખ આપી શક્યો નહીં. કિશોર કુમારે એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે તે મધુબાલાને પ્રેમ નહોતા કરતા, તે માત્ર તેમના મિત્ર દિલીપ કુમારની પ્રેમિકા હતી.

આ સમાચાર પણ વાંચો : Dhurandhar 2 Dawood Ibrahim: શું ‘બડે સાહબ’ નું પાત્ર દાઉદ પર આધારિત છે? પત્રકારે ડોનની તબિયત અંગે કર્યો મોટો ખુલાસો

‘ચલતી કા નામ ગાડી’ના સેટ પર શરૂ થઈ હતી લવ સ્ટોરી

વર્ષ ૧૯૫૦માં ફિલ્મ ‘ચલતી કા નામ ગાડી’ના સેટ પર મધુબાલા અને કિશોર કુમારની મુલાકાત થઈ હતી. દિલીપ કુમાર સાથેના સંબંધો તૂટ્યા બાદ મધુબાલા ખૂબ જ ભાંગી પડી હતી અને કિશોર કુમારનો સાથ તેને તે દર્દમાંથી બહાર આવવાનો સહારો લાગ્યો હતો. ૧૯૬૦માં મધુબાલાએ કિશોર કુમાર સાથે લગ્ન કરવાનો ચોંકાવનારો નિર્ણય લીધો. જોકે, ઘણા નજીકના લોકોનું માનવું હતું કે મધુબાલાએ આ નિર્ણય માત્ર પોતાનું હાર્ટબ્રેક ભુલાવવા માટે લીધો હતો.લગ્ન બાદ મધુબાલાની તબિયત લથડવા લાગી. તેના હૃદયમાં છેદ હતો અને સારવાર માટે તે લંડન પણ ગઈ હતી. કિશોર કુમાર ઈમોશનલી એટલા મજબૂત નહોતા કે એક બીમાર પત્નીને સંભાળી શકે. 


કિશોર કુમાર અવારનવાર ફરિયાદ કરતા કે મધુબાલા તેમની સાથે ખૂબ લડે છે, પરંતુ તે એ ન સમજી શક્યા કે આ વર્તન તેમની ગંભીર બીમારીને કારણે હતું. કિશોર કુમારે એકવાર કહ્યું હતું કે, “સાચું તો એ છે કે તે મારા માટે માત્ર મારા દોસ્ત દિલીપ કુમારની પ્રેમિકા હતી.”જીવનના છેલ્લા વર્ષોમાં મધુબાલા તદ્દન એકલી પડી ગઈ હતી. કિશોર કુમારે તેમને અંતિમ સમયમાં પૂરતો સમય આપ્યો નહીં. તે ઘણીવાર સંગીતકાર નૌશાદ પાસે જઈને રડતી હતી. નૌશાદે તેમને આ સંબંધ તોડીને નવી જિંદગી શરૂ કરવા સલાહ આપી હતી, પણ મધુબાલાએ હાર માની લીધી હતી. તે પોતાના ઘરમાં જ કેદ થઈ ગઈ અને ૨૩ ફેબ્રુઆરી ૧૯૬૯ના રોજ માત્ર ૩૬ વર્ષની વયે તેમનું નિધન થયું. જે સુંદરતાના લાખો ચાહકો હતા, તે સુંદરતા એકલતા અને દર્દમાં વિલીન થઈ ગઈ.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More