News Continuous Bureau | Mumbai
Mahavatar Narsimha: ‘મહાવતાર નરસિંહ’ એ એક પૌરાણિક એક્શન એનિમેટેડ ફિલ્મ છે, જે ડિરેક્ટર અશ્વિન કુમારની પહેલી ફિલ્મ છે. 25 જુલાઈના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે માત્ર 10 દિવસમાં 105 કરોડનો બિઝનેસ કર્યો છે. Hombale Films અને Kleem Productions દ્વારા નિર્મિત આ ફિલ્મ ભારતીય એનિમેશન (Animation) ઈન્ડસ્ટ્રી માટે એક ઐતિહાસિક સિદ્ધિ છે. ફિલ્મ ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારની વાર્તા પર આધારિત છે, જેમાં હિરણ્યકશ્યપ અને તેના પુત્ર પ્રહલાદની ભક્તિ દર્શાવવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Tamannaah Bhatia: શું ખરેખર વિરાટ કોહલી ને ડેટ કરી રહી હતી તમન્ના ભાટિયા? અભિનેત્રી એ કર્યો આ વાત નો ખુલાસો
પૌરાણિક વાર્તા અને ટેકનોલોજીનો સમન્વય
‘મહાવતાર નરસિંહ’ માત્ર એક ફિલ્મ નથી, તે એક સંસ્કૃતિક આંદોલન છે. ફિલ્મે ભારતીય પૌરાણિક વાર્તાને આધુનિક ટેકનોલોજી (Technology) સાથે જોડીને મોટા પડદે જીવંત બનાવી છે. રામાયણ અને મહાભારત જેવી વાર્તાઓ તો ઘણા માધ્યમોમાં ઉપલબ્ધ છે, પરંતુ ભગવાન વિષ્ણુ ના અવતાર પર આધારિત ફિલ્મો ખૂબ જ ઓછી છે. આ ફિલ્મ બાળકો અને વયસ્કો બંને માટે એક અનોખો અનુભવ છે.‘મહાવતાર નરસિંહ’એ એ સાબિત કર્યું છે કે એનિમેશન ફિલ્મો માત્ર બાળકો માટે નથી.
View this post on Instagram
15 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 10 દિવસમાં 100 કરોડથી વધુ કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ ના જણાવ્યા અનુસાર, ફિલ્મની સફળતા પાછળનું મુખ્ય કારણ એ છે કે તે હિન્દૂ પૌરાણિક પર આધારિત છે, જે લોકોના સંસ્કાર સાથે જોડાયેલી છે. અન્ય એક ટ્રેડ એનાલિસ્ટ એ પણ કહ્યું કે, “આ માત્ર હિટ નથી, પણ બ્લોકબસ્ટર (Blockbuster) છે.”
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)