News Continuous Bureau | Mumbai
Mahhi Vij: ટીવી જગતના લોકપ્રિય કપલ માહી વિજ અને જય ભાનુશાલી તાજેતરમાં છૂટાછેડા ની અફવાઓને લઈને ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એક પોર્ટલે દાવો કર્યો હતો કે બંને વચ્ચે છૂટાછેડા થઈ ગયા છે અને બાળકોની કસ્ટડી પણ ફાળવાઈ ગઈ છે. આ અફવાઓ સામે માહી વિજે તીવ્ર પ્રતિક્રિયા આપી છે અને ખોટી માહિતી ફેલાવનારા સામે કાયદેસર પગલાં લેવાની ચેતવણી આપી છે.
આ સમાચાર પણ વાંચો : Baahubali Returns: ફરી થિયેટરોમાં ધમાકો કરશે ‘બાહુબલી’, રી-રિલીઝની એડવાન્સ બુકિંગમાં જ કરી કરોડો ની કમાણી
ઇન્સ્ટાગ્રામ પેજે ફેલાવી ખોટી માહિતી
એક ઇન્સ્ટાગ્રામ પેજે પોસ્ટ કરીને લખ્યું હતું કે 14 વર્ષના લગ્ન પછી માહી અને જય છૂટાછેડા તરફ આગળ વધી રહ્યા છે. પોર્ટલના દાવા મુજબ, છૂટાછેડાના કાગળો જુલાઈ-ઑગસ્ટ 2025 વચ્ચે સાઇન થઈ ગયા હતા. આ સાથે ત્રણ બાળકોની કસ્ટડી અંગે પણ નિર્ણય લેવાયો હોવાનું લખાયું હતું.માહી વિજે આ પોસ્ટ પર કમેન્ટ કરીને લખ્યું: “અહીં ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે. કૃપા કરીને આવા ફોલ્સ નેરેટિવ પોસ્ટ ન કરો. હું કાયદેસર પગલાં લઉં છું.” માહીનો આ પ્રતિસાદ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.
View this post on Instagram
થોડા સમય પહેલા માહી વિજે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સમાજ સિંગલ માતાઓ અને છૂટાછેડા લીધેલી મહિલાઓને અલગ નજરે જુએ છે. લોકો હંમેશા ડ્રામા અને આરોપોની અપેક્ષા રાખે છે. તેમણે કહ્યું હતું કે “લોકોને જીવવા દો અને પોતે પણ જીવો” એ જ સાચો રસ્તો છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)