સિંધી ભાષા પર વિવાદાસ્પદ નિવેદન આપીને ખરાબ રીતે ફસાયા નસીરુદ્દીન શાહ, અભિનેતા એ માફી માંગતા કહી આ વાત

નસીરુદ્દીન શાહે પાકિસ્તાનની સમગ્ર સિંધી ભાષી વસ્તીની માફી માંગી છે. તેણે કહ્યું કે તેની પાસે ખોટી માહિતી છે પરંતુ આ માટે તેને ફાંસી એ ચડાવી દેશે.

by Zalak Parikh
naseeruddin shah apologises to pak sindh speaking population

News Continuous Bureau | Mumbai

નસીરુદ્દીન શાહ અને વિવાદો એકસાથે ચાલે છે. ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા નસીરુદ્દીન શાહ તેમના નિવેદનના કારણે ઘણીવાર નિશાના પર રહે છે. તેણે હાલમાં જ સિંધી ભાષા પર ટિપ્પણી કરી હતી જે બાદ તેની ટીકા થઈ હતી. હવે તેણે પાકિસ્તાનમાં સિંધી ભાષી લોકોની માફી માંગતી પોસ્ટ લખી છે. નસીરુદ્દીન શાહે કહ્યું કે સિંધી ભાષી લોકો તેમના ‘ખોટા’ અભિપ્રાયથી ખૂબ જ દુઃખી થયા છે.

 

નસીરુદ્દીન શાહે પાકિસ્તાન ની સિંધી ભાષી વસ્તી ની માંગી માફી 

અભિનેતાએ દાવો કર્યો હતો કે પાકિસ્તાનમાં હવે સિંધી બોલાતી નથી. વિવાદ બાદ હવે તેણે ફેસબુક પર પોસ્ટ લખીને માફી માંગી છે અને તેને ભૂલ ગણાવી છે. નસીરુદ્દીન શાહે ફેસબુક પર લખ્યું, “ઠીક છે, ઠીક છે, હું પાકિસ્તાનની સમગ્ર સિંધી ભાષી વસ્તીની માફી માંગુ છું. મને લાગે છે કે તેઓ મારા ખોટા અભિપ્રાયથી ખૂબ જ દુઃખી થયા છે. હું સ્વીકારું છું કે મને ખોટી રીતે જાણ કરવામાં આવી હતી, પરંતુ શું મને  આ માટે ફાંસી પર ચઢાવવાની જરૂર છે?જેમ કે ઈસુએ કહ્યું, ‘તેને મુક્ત થવા દો…’ વાસ્તવમાં ઘણા વર્ષો સુધી જ્ઞાની માણસ ગણાયા પછી, હું હવે અજ્ઞાની કહેવાનો અને બૌદ્ધિક હોવાનો ઢોંગ કરવાનો આનંદ માણી રહ્યો છું, આ એક મોટું પરિવર્તન છે.થોડા દિવસો પહેલા નસીરુદ્દીન સિંધી અને મરાઠી ભાષાઓ પર કરેલી ટિપ્પણીને લઈને નિશાના પર આવી ગયા હતા. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મરાઠીમાં પણ ફારસી ભાષાના શબ્દો છે. ઘણા લોકોએ તેને મરાઠીને બદનામ કરવાના પ્રયાસ તરીકે લીધો. નસીરુદ્દીન શાહે આ ફેસબુક પેજ પર લખ્યું છે કે ‘એવું લાગે છે કે મેં તાજેતરમાં જે કહ્યું તેના પર બે બિનજરૂરી વિવાદો ઉભા થયા છે. મારો ઉદ્દેશ્ય મરાઠીને ઓછો બતાવવાનો ન હતો પરંતુ વિવિધતા બધી સંસ્કૃતિઓને કેવી રીતે સમૃદ્ધ બનાવે છે તે બતાવવાનો હતો.

Naseeruddin Shah apologized to the Sindhis of Pakistan say is it necessary to crucify me

નસીરુદ્દીન શાહ નું વર્કફ્રન્ટ 

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નસીરુદ્દીન શાહ છેલ્લે વેબ સિરીઝ ‘તાજ’માં જોવા મળ્યા હતા. આ સિરીઝમાં તેમની સાથે અદિતિ રાવ હૈદરી, આશિમ ગુલાટી, સંધ્યા મૃદુલ, રાહુલ બોઝ જેવા દિગ્ગજ કલાકારો પણ જોવા મળ્યા હતા.

આ સમાચાર પણ વાંચો: ‘મુસલમાનોને નફરત કરવી ફેશન છે’ના નિવેદન પર મુકેશ ખન્ના થયા ગુસ્સે, નસીરુદ્દીન શાહ ની કાઢી ઝાટકણી

You may also like