નૂપુર શર્મા વિવાદમાં હવે નસરુદ્દીન શાહ એ ઝંપલાવ્યું- પ્રધાનમંત્રી ને આપી આ સલાહ

 News Continuous Bureau | Mumbai

પયગંબર મોહમ્મદ પર  ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીનું તોફાન અટકવાનું નામ નથી લઈ રહ્યું.અત્યાર સુધી ઘણા ખાડી દેશોએ આ ટિપ્પણીની નિંદા કરી છે. દેશના ઘણા વિપક્ષી નેતાઓ આ મામલે ભાજપ(BJP) પર પ્રહાર કરતા જોવા મળી રહ્યા છે. આ ક્રમમાં હવે પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહની પ્રતિક્રિયા(Nassiruddin Shah reaction) સામે આવી છે. એક મુલાકાતમાં, તેમણે આશા વ્યક્ત કરી કે એક દિવસ લોકોમાં સારી સમજણ પ્રવર્તશે ​​અને મુસ્લિમો વિરુદ્ધ "નફરતની લહેર" નાશ પામશે. આ સાથે અભિનેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi)હસ્તક્ષેપ કરવાની વિનંતી પણ કરી છે.

એક ટીવી ઈન્ટરવ્યુમાં નસીરુદ્દીન શાહે કહ્યું કે આ મામલે મોડેથી કાર્યવાહી કરવામાં આવી છે. પક્ષે વિવાદાસ્પદ ટિપ્પણીની નિંદા કરવા માટે એક સપ્તાહનો સમય લીધો હતો. આ સાથે તેણે આગળ કહ્યું – તે (Nupur Sharma) કોઈ ફ્રિન્જ એલિમેન્ટ નથી પરંતુ બીજેપીની પ્રવક્તા હતી. પાકિસ્તાન, બાંગ્લાદેશમાં(Bangladesh) આવા નિવેદનો આપવામાં આવે છે. આના પર તેણીએ દલીલ કરી હતી કે, 'નૂપુર શર્માએ કહ્યું કે હિંદુ દેવી-દેવતાઓ પર કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીના કારણે તેણે આવું કહ્યું, મને એવો કોઈ વીડિયો કે રેકોર્ડિંગ બતાવો જેમાં આવી વાત કહેવામાં આવી હોય.' તેમણે વધુમાં કહ્યું કે જો વડાપ્રધાન મોદી (PM Modi)સમાજમાં ફેલાયેલી નફરતને રોકવા માંગતા હોય તો તેમણે આગળ આવવું જોઈએ.

આ સમાચાર પણ વાંચો : નુપુર શર્માને મળ્યો બોલિવૂડ ની આ અભિનેત્રી નો સાથ-પોસ્ટ શેર કરી આપ્યું સમર્થન

તમને જણાવી દઈએ કે નૂપુર શર્માએ (Nupur Sharma0ક્ષન વાપી મસ્જિદને લઈને એક ન્યૂઝ ચેનલમાં ચાલી રહેલી ડિબેટ દરમિયાન પયગંબર મોહમ્મદ (Paigambar mohammad)પર વાંધાજનક ટિપ્પણી કરી હતી, જે બાદ મામલો જોત જોતામાં જ જોર પકડ્યો હતો. આ વિવાદ બાદ ઘણી જગ્યાએ હિંસા પણ ફાટી નીકળી હતી. તેના જવાબમાં નસીરુદ્દીન શાહે કહ્યું કે આ આગને બળવા માટે ન્યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયા સંપૂર્ણપણે જવાબદાર છે.

 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *