Site icon News Continuous Bureau | Mumbai

Ramayan: નીતીશ તિવારી ની ‘રામાયણ’ માં માતા સીતા ના રોલ માં સાઉથ ની આ અભિનેત્રી ની થઇ એન્ટ્રી, જાણો ક્યારથી શરૂ થશે શૂટિંગ

Ramayan: રણબીર કપૂર ના જન્મદિવસ પર તેની ફિલ્મ એનિમલ નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર ટીઝર ને ખુબ પસંદ કરવામાં આવી હતી. હવે રણબીર કપૂર ની આગામી ફિલ્મ રામાયણ ને લઇ ને નવું અપડેટ સામે આવ્યું છે.

nitesh tiwari ramayan sai pallavi play sita role opposite ranbir kapoor shooting starts in next year

nitesh tiwari ramayan sai pallavi play sita role opposite ranbir kapoor shooting starts in next year

News Continuous Bureau | Mumbai

Ramayan: નીતીશ તિવારી ની રામાયણ ની ખુબ ચર્ચા ચાલી હતી. પહેલા એવું કહેવામા આવ્યું હતું કે, નીતીશ તિવારી ની રામાયણ માં રણબીર કપૂર ભગવાન રામ ના રોલ માં અને આલિયા ભટ્ટ માતા સીટીએ ના રોલ માં જોવા મળશે. હવે આ ફિલ્મ માં રણબીર કપૂર ની તો એન્ટ્રી પાક્કી થઇ ગઈ છે. મીડિયા રિપોર્ટ માં કહેવામાં આવી રહ્યું છે કે, રણબીર કપૂર એનિમલ ની રિલીઝ પછી તરત જ તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મની લીડ એક્ટ્રેસ સાઈ પલ્લવી પણ આવતા વર્ષની શરૂઆતમાં રણબીર સાથે શૂટિંગ શરૂ કરશે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે યશ જુલાઈથી શૂટિંગમાં જોડાશે.

Join Our WhatsApp Channel

 

રણબીર કપૂર અને સાઈ પલ્લવી શરૂ કરશે રામાયણ નું શૂટિંગ  

ફિલ્મ સાથે સંકળાયેલા એક સૂત્રે મીડિયાને જણાવ્યું કે, નિતેશ તિવારી અને તેમની ટીમે ‘રામાયણ’ પર જોરશોરથી કામ કરવાનું શરૂ કરી દીધું છે. એટલું જ નહીં, નિર્માતાઓએ ફિલ્મના VFX માટે ઓસ્કાર વિજેતા કંપની DNEG સાથે પણ વાત કરી છે. જો કે, સૂત્રએ એમ પણ કહ્યું કે નીતીશ તિવારીની ફિલ્મમાં VFX પર વધુ ધ્યાન આપવામાં આવશે નહીં. નિતેશ તિવારી વાર્તા અને લાગણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે રણબીર અને સાઈ ફેબ્રુઆરી 2024 ની આસપાસ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. પ્રથમ ભાગ ભગવાન રામ અને સીતા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે, જે સીતા હરણના સંઘર્ષ તરફ દોરી જશે. ‘રામાયણઃ પાર્ટ વન’નું શૂટિંગ પૂરું થાય તે પહેલાં આ જોડી ફેબ્રુઆરીથી ઓગસ્ટ 2024 સુધી ફિલ્મનું શૂટિંગ કરશે.

રામાયણમાં જોવા મળશે યશ 

યશની ‘રામાયણઃ પાર્ટ વન’માં વિસ્તૃત ભૂમિકા છે. જોકે, તેનું પાત્ર બીજા ભાગમાં વધુ જોવા મળશે, જે શ્રીલંકામાં સેટ છે. તેણે ‘રામાયણઃ પાર્ટ વન’ના શૂટિંગ માટે 15 દિવસનો સમય કાઢ્યો છે. ફિલ્મમાં રણબીર કપૂર ‘રામ’ની ભૂમિકા ભજવશે અને સાઈ પલ્લવી ‘સીતા’ની ભૂમિકા ભજવશે. યશ ‘રાવણ’નું પાત્ર ભજવશે. ત્રણેય કલાકારોએ આ ફિલ્મ માટે પોતાનો લુક ટેસ્ટ પૂર્ણ કરી લીધો હોવાના અહેવાલ છે. 

આ સમાચાર પણ વાંચો : Vicky kaushal: વિકી કૌશલ અને કેટરીના કૈફ આ વિષય પર ડિનર ટેબલ પર કરે છે વાત, અભિનેતા ની માતા એ વ્યક્ત કર્યો વિરોધ

Nagarjuna Mass and Don No 1 ‘Don No. 1’ અને ‘Mass’ નાગાર્જુનની બે આઇકોનિક ફિલ્મો જેણે ટીવી પર રાજ કર્યું; જાણો OTT પર ક્યાં જોઈ શકાશે
Lawrence Bishnoi Threatens Salman Khan લોરેન્સ બિશ્નોઈના ભાઈએ સલમાન ખાન પર સાધ્યું નિશાન ‘આટલો અહંકાર શેનો?’ કહીને ફરી આપી ધમકી
Hanuman Ansh Saturday Collection શનિવારે સર્જાયો ચમત્કાર! ‘હનુમાન અંશ’ એ ૧૮ દિવસમાં જેટલી કમાણી નહોતી થઈ તેટલી એક જ દિવસમાં કરી નાખી
Dil Chahta Hai 25 Years ૨૫ વર્ષ પછી ફરી એકસાથે દેખાયા સ્ટાર્સ! આમિર ખાન અને સૈફ અલી ખાને ખાસ અંદાજમાં ઉજવી ‘દિલ ચાહતા હૈ’ની સિલ્વર જ્યુબિલી
Exit mobile version