Nushrratt bharuccha: ઇઝરાયેલ થી સુરક્ષિત પરત ફરેલી નુસરત ભરૂચાએ જણાવ્યો ઇઝરાયેલ નો માહોલ , અભિનેત્રી એ વિડીયો શેર કરી જણાવી આપવીતી

Nushrratt bharuccha: ઇઝરાયેલ થી સુરક્ષિત પરત ફર્યા બાદ નુસરત ભરૂચાએ પોતાનો પહેલો વીડિયો શેર કર્યો છે. તેણીએ ભારત સરકાર નો આભાર વ્યક્ત કર્યો જેના કારણે તેણી સુરક્ષિત રીતે પરત આવી શકી.

by Zalak Parikh
nushrratt bharuccha shares horrific details of israel palestine war after returning to india

News Continuous Bureau | Mumbai 

Nushrratt bharuccha: બોલિવૂડમાં પોતાની શાનદાર એક્ટિંગથી લોકોના દિલમાં જગ્યા બનાવનાર નુસરત ભરૂચા આ દિવસોમાં ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધમાં ફસાઈ જવાને કારણે ચર્ચામાં છે. નુસરત તેની ફિલ્મ ‘અકેલી’ના સ્ક્રિનિંગ માટે હાઈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા ઈઝરાયેલમાં હતી. તે દરમિયાન પેલેસ્ટાઇન એ ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો. જે દિવસે હુમલો થયો તે દિવસે જ નુસરત પાછી આવવાની હતી આ સમયગાળા દરમિયાન, તેની સાથેનો સંપર્ક પણ તૂટી ગયો હતો, જો કે હવે તે સુરક્ષિત રીતે તેના દેશમાં પાછી આવી ગઈ છે. ભારત પરત ફર્યાના થોડા દિવસો બાદ અભિનેત્રીએ હાલમાં જ એક પોસ્ટ દ્વારા જણાવ્યું કે ત્યાં કેવી સ્થિતિ હતી.

 

નુસરત ભરૂચા એ શેર કરી પોસ્ટ  

અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો પણ શેર કર્યો અને ખુલાસો કર્યો કે તે શનિવારે સવારે બોમ્બના અવાજથી જાગી ગઈ હતી. અભિનેત્રીએ લખ્યું, ‘લાગણીઓની એક રોલરકોસ્ટર રાઈડ, જેમાંથી છેલ્લા 36 કલાક મારા જીવનના સૌથી અવિસ્મરણીય અને પડકારરૂપ હશે… મારા નિર્માતા, સ્ટાઈલિશ અને મને 3જી ઓક્ટોબરે હાઈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મારી ફિલ્મ અકેલીના સ્ક્રીનિંગ માટે ઈઝરાયેલના હાઈફા શહેરમાં મોકલવામાં આવ્યા હતા.6ઠ્ઠી ઑક્ટોબર પછી બધું માણ્યા પછી અમે બધા બીજા દિવસે પાછા આવવાના હતા. પરંતુ શનિવારની સવાર અગાઉની સાંજની ઉજવણી જેવી નહોતી. અમે બોમ્બ વિસ્ફોટ, જોરથી સાયરન્સના અવાજથી જાગી ગયા. જલદી અમે જાગી ગયા, અમને અમારી હોટેલના ભોંયરામાં એક આશ્રયમાં મોકલવામાં આવ્યા. ક્યારેય સમાપ્ત ન થાય તેવી રાહ જોયા પછી અમે નીકળ્યા ત્યારે જ અમને ખબર પડી કે ઈઝરાયેલ પર હુમલો થઈ રહ્યો છે. આ સમાચાર માટે અમને કોઈ તૈયાર કરી શક્યું નહીં.

નુસરત ભરૂચા એ વિડીયો શેર કરી માન્યો આભાર 

નુસરતે વિડીયો હર કરી કહ્યું, ‘મેસેજ અને પ્રાર્થના કરનારા તમામ નો આભાર. હું ઘરે આવી ગઈ છું. હું ઠીક છું! બે દિવસ પહેલા જ્યારે હું હોટલના રૂમમાં જાગી ત્યારે ચારેબાજુ બોમ્બ બ્લાસ્ટ અને સાયરનનો અવાજ ગુંજતો હતો. અમે બેઝમેન્ટ વિસ્તારમાં આશ્રય લીધો. હું પહેલા ક્યારેય આવી પરિસ્થિતિમાં ન હતી પરંતુ આજે જ્યારે હું મારા ઘરમાં જાગી તો કોઈ અવાજ નથી આવતો, બધું સલામત છે. હવે મને સમજાયું કે આ કેટલી મોટી ડીલ છે અને આપણે કેટલા નસીબદાર છીએ કે આપણે આ દેશમાં છીએ. સુરક્ષિત છીએ. ભારત સરકાર, ભારતીય દૂતાવાસ, ઈઝરાયેલ એમ્બેસીનો આભાર કે જેમણે અમને માર્ગદર્શન આપ્યું અને સલાહ આપી. તેણે મારા માટે મારા દેશ, મારા ઘરે સુરક્ષિત રીતે પહોંચવાનું શક્ય બનાવ્યું. મારી પ્રાર્થનાઓ યુદ્ધમાં ફસાયેલા લોકો સાથે છે. આશા છે કે ત્યાં ટૂંક સમયમાં શાંતિ રહેશે.’


આતંકવાદી સંગઠન હમાસે માત્ર વીસ મિનિટમાં જ ઈઝરાયેલ પર 5000 રોકેટ છોડીને સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. આ બાબતની ચર્ચા સર્વત્ર થઈ રહી છે. આ ઘટનાને કારણે સમગ્ર ઈઝરાયેલમાં ભયનો માહોલ છે અને દરેક લોકો ખૂબ જ ડરી ગયા છે. દરેક વ્યક્તિ ઇઝરાયેલના લોકોની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Munmun dutta: નુસરત ભરૂચા બાદ ઇઝરાયેલ યુદ્ધમાં ફસાતા ફસાતા બચી તારક મહેતા ની આ અભિનેત્રી, ઇન્સ્ટા સ્ટોરી માં વ્યક્ત કરી વ્યથા

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More