Pavitra jayram: અભિનેત્રી પવિત્રા જયરામ નું આટલી નાની ઉંમરે થયું નિધન, માર્ગ અકસ્માતમાં ગુમાવ્યો જીવ

Pavitra jayram: ટીવી અભિનેત્રી પવિત્રા જયરામનું રવિવારે નિધન થયું હતું. અભિનેત્રી ની કાર બેકાબુ બનતા અકસ્માત ,થયો હતો.અકસ્માત એટલો ભયંકર હતો કે અભિનેત્રી નું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

by Zalak Parikh
pavitra jayaram dies in tragic car accident

News Continuous Bureau | Mumbai

Pavitra jayram: ટીવી સિરિયલ ‘ત્રિનયની’માં તિલોત્તમાની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી પવિત્રા જયરામનું રવિવારે એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આંધ્રપ્રદેશના મહેબૂબા નગર પાસે એક ભયાનક કાર અકસ્માતમાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પવિત્રા ના આકસ્મિત નિધન થી તેના ફેન્સ આઘાત માં છે. 

આ સમાચાર પણ વાંચો:  Anant ambani and Radhika merchant: બાળપણ ના મિત્રો બનશે પતિ-પત્ની, અનંત અને રાધિકા ની લવ સ્ટોરી દર્શાવતો વિડીયો થયો વાયરલ, ફેન દ્વારા પોસ્ટ કરવામાં આવેલ આ વિડીયો ને મળી ચુક્યા છે આટલા વ્યૂઅર્સ

પવિત્રા જયરામ નું નિધન 

મીડિયા રિપોર્ટ મુજબ પવિત્રા જયરામનું નિધન 12 મે ના રોજ આંધ્ર પ્રદેશના મહેબૂબ નગરમાં થયું હતું. રિપોર્ટ મુજબ કાર બેકાબૂ થઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી. બાદમાં હૈદરાબાદથી વાનપાર્ટી આવી રહેલી બસે જમણી બાજુએ કારને ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે અભિનેત્રી નું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ રોડ અકસ્માતમાં એક્ટ્રેસની કઝિન અપેક્ષા, ડ્રાઈવર શ્રીકાંત અને એક્ટર ચંદ્રકાંત ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

 

Join Our WhatsApp Community

You may also like