News Continuous Bureau | Mumbai
Poonam pandey: પૂનમ પાંડે નું નિધન થયું છે તેવા સમાચાર અભિનેત્રી ના ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. આ સમાચાર ના એક દિવસ બાદ પૂનમે તેના ઇન્ટાગ્રામ પરથી વિડીયો શેર કરી ને જણાવ્યું હતું કે તે જીવતી છે અને તેને આ બધું સર્વાઈકલ કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા કર્યું હતું. હવે પૂનમે તેના નકલી નિધન ના સમાચાર વળી પોસ્ટ ડિલીટ કરી દીધી છે. ત્યારબાદ અભિનેત્રી એ એક પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, ટૂંક સમય માં સત્ય બહાર આવશે. હવે અભિનેત્રી એ આ મામલે એક નવી પોસ્ટ શેર કરીને કોઈનું નામ લીધા વગર ઘણા લોકો પર આરોપ લગાવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Naseeruddin shah: 49 વર્ષો થી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં સક્રિય નસીરુદ્દીન શાહ ને હિન્દી ફિલ્મો જોવી નથી પસંદ, અભિનેતા એ જણાવ્યું આ પાછળ નું કારણ
પૂનમ પાંડે ની પોસ્ટ
થોડા દિવસો પહેલા પૂનમે પોતાના નકલી નિધન ના સમાચાર વળી પોસ્ટ ને ડીલીટ કરી હતી અને નવી પોસ્ટ માં જણાવ્યું હતું કે બહુ જલ્દી સત્ય બહાર આવશે. હવે તેને નવી પોસ્ટ શેર કરી છે જેમાં લખ્યું છે કે,’’પ્રામાણિકતા થી કહું તો,, હું ખુશ છું કે મારી પોસ્ટ ઘણા લોકો સુધી પહોંચવામાં સફળ રહી અને તેમને સર્વાઇકલ કેન્સર વિશે જાગૃત કર્યા. હું આટલું જ ઇચ્છતી હતી. પરંતુ મને જે વાત ની ઠેસ પહોંચી તે એ છે કે કેટલાક લોકોએ તેનો આર્થિક લાભ લીધો. મને આ માટે બહાના સાથે દબાણ કરવામાં આવ્યું હતું, પરંતુ હું હંમેશા તેમની સાથે ઉભી રહીશ અને હંમેશા તેમને સમર્થન આપીશ. હવે તમારે માત્ર એ શોધવાનું છે કે કોણે તેને કોમર્શિયલ બનાવ્યું છે.”
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, પૂનમ પાંડે ને તેના નકલી નિધન ના સમાચાર ફેલાવવા બદલ સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. તેની વિરુદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)