Site icon

થલાઇવા રજનીકાંતની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ. જાણો વિગત..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

25 ડિસેમ્બર 2020

70 વર્ષના રજનીકાંતને હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ બાદ શુક્રવારે સવારે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભૂતકાળમાં, રજનીકાંતની ફિલ્મ અન્નાથેના સેટ પર ક્રૂના સાત સભ્યોને કોવિડ 19 થી ચેપ લાગ્યો હતો. રજનીકાંતનું પણ કોવિડ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે નેગેટિવ આવ્યું હતું. પરંતુ ઘણાં સમયથી તેમનું બ્લડ પ્રેશર વધઘટ કરતું હતું. હાઈ બ્લડ પ્રેશર અને થાકને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

એપોલો હોસ્પિટલે રજનીકાંતની તબિયત વિશે માહિતી આપતા એક નિવેદન બહાર પાડ્યું છે. હોસ્પિટલે કહ્યું કે તેમનામાં કોવિડ 19 ના લક્ષણો નથી. પરંતુ જ્યાં સુધી તેમનું બ્લડ પ્રેશર સામાન્ય નહીં આવે ત્યાં સુધી તે ડોકટરોની દેખરેખ હેઠળ રહેશે. સ્થિતિ સુધરતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. રજનીકાંતની તબિયત વિશે ચાહકોને જાણ થતાં જ તેમના માટે ઠેર ઠેર પ્રાર્થના કરી રહયાં છે.

Virosh Wedding: ઉદયપુરમાં ‘વિરોષ’ ના લગ્નનો ઝાકઝમાળ: રોયલ ડિનર સાથે વિધિઓનો પ્રારંભ; મેનૂમાં રાખવામાં આવી છે આ ખાસ વાનગીઓ
DON 3 Legal War:‘ડોન 3 ના સેટ પરથી કોર્ટ સુધી પહોંચ્યો મામલો! ૪૦ કરોડ મુદ્દે ફરહાન અને રણવીર વચ્ચે આરપારની લડાઈ; જાણો શું છે વિવાદ.
Ranveer Singh: કોર્ટના શરણે રણવીર સિંહ! ‘કાંતારા’ વિવાદમાં થયેલા કેસથી છુટકારો મેળવવા કરી કાનૂની લડાઈ શરૂ
Toxic Cast Update: રોકી ભાઈનો નવો પાવર! ‘ટોક્સિક’ માં જોડાયા આ બે દમદાર કલાકારો
Exit mobile version