Munnabhai 3: શું મુન્નાભાઈ નો ત્રીજો ભાગ લાવશે રાજકુમાર હીરાની? ડંકી નિર્દેશકે આ ઉપર આપ્યું અપડેટ

Munnabhai 3: ફિલ્મ નિર્દેશક રાજકુમાર હીરાની ની ફિલ્મ મુન્નાભાઈ ના અત્યારસુધી બે પાર્ટ આવી ચુક્યા છે હવે રાજકુમાર હીરાની એ મુન્નાભાઈ ના ત્રીજા પાર્ટ પર અપડેટ આપ્યું છે.

by Zalak Parikh
rajkumar hirani wants to make munna bhai 3

News Continuous Bureau | Mumbai

Munnabhai 3: રાજકુમાર હીરાની તેમની ફિલ્મ ડંકી ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ ને દર્શકો તરફ થી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જોકે આ ફિલ્મ હિટ ફિલ્મો ની કેટેગરીમાં સામેલ થઇ ગઈ છે.ડંકી પહેલા રાજકુમાર હીરાની એ ઘણી હિટ ફિલ્મો આપી છે જેમાં મુન્નાભાઈ સૌથી મોખરે આવે છે. આ ફિલ્મ ના અત્યારસુધી બને પાર્ટ બની ચુક્યા છે એક મુન્નાભાઈ એમબીબીએસ અને લગેરહો મુન્નાભાઈ આ બંને ફિલ્મો માં સંજય દત્ત મુખ્ય ભૂમિકામાં હતો હવે રાજકુમાર હીરાની એ મુન્નાભાઈ ના ત્રીજા પાર્ટ પર અપડેટ આપ્યું છે. 

 

મુન્નાભાઈ ના ત્રીજા પાર્ટ પર રાજકુમાર હીરાની એ આપ્યું અપડેટ

મીડિયા સાથેની વાતચીત દરમિયાન રાજકુમાર હીરાની એ મુન્નાભાઈ ના ત્રીજા પાર્ટ વિશે કહ્યું,”મુન્નાભાઈ સાથે અમારો સંઘર્ષ એ રહ્યો છે કે છેલ્લી બે ફિલ્મો એટલી સારી બની છે કે મારી પાસે હજુ પણ 5 અર્ધ-લિખિત સ્ક્રિપ્ટો પડી છે. મને લાગે છે કે જો હું એ બે ફિલ્મોના સ્તરે નહીં પહોંચી શકું તો હું ત્રીજી ફિલ્મ નહીં કરી શકું. મારી પાસે એક વાર્તા છે જે બની શકે છે, પરંતુ કેટલીક વાર્તાઓ જૂની થઈ જાય છે, તેથી સમય જ કહેશે.”

આ સમાચાર પણ વાંચો : Vijay sethupathi: ફિલ્મ અભિનેતા નહીં પરંતુ આ ફિલ્ડ માં કામ કરવા માંગતો હતો વિજય સેતુપતિ, એક ઇન્ટરવ્યૂ દરમિયાન અભિનેતા એ કર્યો ખુલાસો

રાજકુમાર હીરાની એ વધુમાં જણાવ્યું કે, “હું ઘણીવાર સંજુ (સંજય દત્ત) સાથે વાત કરું છું. તે કહે છે કે એક બનાવવી જોઈએ. હવે આ ડંકી પૂરી થઈ ગઈ છે, હવે હું જૂની વાર્તાઓનો ખજાનો ખોલીશ. મને લાગે છે કે વધુ એક મુન્નાભાઈ બનવી જોઈએ પરંતુ ક્યારે તે ખબર નથી.”

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More