News Continuous Bureau | Mumbai
Ramayana Starcast: નિતેશ તિવારીની અપકમિંગ ફિલ્મ ‘રામાયણ’ વિશે સતત નવી માહિતી સામે આવી રહી છે. રણબીર કપૂર, યશ, સાઈ પલ્લવી અને સની દેઓલ જેવી સ્ટારકાસ્ટ સાથે ફિલ્મની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. હવે ખબર મળી છે કે ફિલ્મમેકર્સે પ્રિયંકા ચોપરા ને પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા માટે સંપર્ક કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : CID 2: CID 2 માંથી પૂરું થયું પાર્થ સમથાન નું ચેપ્ટર, ACP પ્રદ્યુમ્ન અને બાકીની સ્ટારકાસ્ટ એ અભિનેતા ને આપી આ રીતે વિદાય
પ્રિયંકા ચોપરા માટે સુર્પણખાની ભૂમિકા હતી નિર્ધારિત
ફિલ્મના સૂત્રોના જણાવ્યા અનુસાર, મેકર્સે પ્રિયંકા ચોપરા ને સુર્પણખા ની ભૂમિકા માટે પસંદ કરી હતી. પરંતુ તેના વ્યસ્ત શેડ્યુલ ને કારણે તે આ રોલ માટે હા પાડી શકી નહીં. પરિણામે, હવે રકુલ પ્રીત સિંહ ને આ રોલ માટે ફાઈનલ કરવામાં આવી છે.સૂત્રોએ જણાવ્યું કે રકુલ પ્રીત સિંહ આ પાત્ર માટે સંપૂર્ણ રીતે ફિટ છે અને તેણે પાત્ર માટે ઘણી તૈયારી પણ કરી છે. ફિલ્મમાં તેની ભૂમિકા ખૂબ જ શક્તિશાળી અને મહત્વપૂર્ણ રહેશે.
View this post on Instagram
ફિલ્મમાં રણબીર કપૂર, સાઈ પલ્લવી, યશ, સની દેઓલ, રવિ દુબે, લારા દત્તા,કાજલ અગ્રવાલ, વિવેક ઓબેરોય, જેવા કલાકરો જોવા મળશે. ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે – પહેલો ભાગ 2026માં અને બીજો ભાગ 2027માં આવવાની શક્યતા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)