News Continuous Bureau | Mumbai
Ranbir and Alia: બોલીવૂડ ના લોકપ્રિય કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હવે તેમના નવા ઘરમાં રહેવા માટે તૈયાર છે. આ ઘરને “કૃષ્ણા રાજ બંગલો” નામ આપવામાં આવ્યું છે, જે રણબીરની દાદી કૃષ્ણા રાજ કપૂર ના નામ પર છે. આ ચાર માળનું આલિશાન ઘર મુંબઈમાં આવેલું છે અને તેની અંદરથી બહાર સુધીની ભવ્યતા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો : Dipika Kakar Health Update: લીવર કેન્સરની સર્જરી બાદ ICU માં હતી દીપિકા કક્કડ, પતિ શોએબ ઇબ્રાહિમ એ હેલ્થ અપડેટ આપતા કહી આવી વાત
250 કરોડની કિંમત અને વારસાની વાર્તા
આ પ્રોપર્ટી મૂળરૂપે રાજ કપૂર અને કૃષ્ણા રાજ કપૂરની હતી, જે પછી ઋષિ કપૂર અને નીતૂ કપૂરને આપવામાં આવી હતી. હવે રણબીર અને આલિયાએ આ વારસાને આગળ વધાર્યું છે. આ બંગલો લગભગ 250 કરોડનો છે અને એવી અપેક્ષા છે કે તે તેમની પુત્રી રાહા ના નામે રજીસ્ટર કરવામાં આવશે.રણબીર અને આલિયા લાંબા સમયથી આ ઘરના તૈયાર થવાની રાહ જોઈ રહ્યા હતા. હવે જ્યારે ઘર તૈયાર થઈ ગયું છે, ત્યારે તેઓ જલ્દી જ નીતૂ કપૂર અને પુત્રી રાહા સાથે નવા ઘરમાં પ્રવેશ કરી શકે છે.
View this post on Instagram
આ બંગલાની દરેક બાલ્કનીમાં હરિયાળી જોવા મળે છે અને ટોપ ફ્લોર પર સુંદર ગાર્ડન બનાવવામાં આવ્યું છે. ઘરના અંદરના ભાગમાં ભવ્ય ઈન્ટિરિયર અને શાંતિપૂર્ણ વાતાવરણ છે. 
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
 
			         
			         
                                                        