News Continuous Bureau | Mumbai
આલિયા ભટ્ટ-રણબીર કપૂરના લગ્ન (Ranbir-Alia wedding)સાથે જોડાયેલા ફોટા અને સમાચાર સોશિયલ મીડિયા (social media)પર દરેક જગ્યાએ વાયરલ થઇ રહ્યા છે. આ દંપતીએ પરિવાર અને ખૂબ જ નજીકના મિત્રો વચ્ચે લગ્ન કર્યા હતા. જ્યારે ચાહકો વર અને કન્યાની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હતા, ત્યારે આલિયાએ(Alia bhatt) તેમના લગ્નની સુંદર તસવીરો શેર કરી, તેમની નિરાશા દૂર કરી. તેઓએ સત્તાવાર રીતે પતિ-પત્ની(husband-wife) હોવાનું જાહેર કર્યું.
લોકોને અપેક્ષા હતી કે આલિયા અને રણબીર(Ranbir-Alia) એક ભવ્ય રિસેપ્શન પાર્ટીનું (reception party)આયોજન કરશે. પરંતુ આમ પણ થવાનું નથી. પરંતુ આ દરમિયાન એક મીડિયા હાઉસે એક સમાચાર આપ્યા છે. નવદંપતી આજે એટલે કે 16 એપ્રિલે વાસ્તુ(Vastu) એપાર્ટમેન્ટમાં એક નાની પાર્ટીનું (party)આયોજન કરશે. કપૂર અને ભટ્ટ પરિવારના(Bhatt and kapoor family) નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ આ અંતરંગ છતાં ખાસ ફંક્શનમાં જોવા મળશે. આલિયા અને રણબીર (Ranbir-Alia)એવા લોકોને આમંત્રણ આપશે જેઓ તેમના ખાસ મિત્રો છે અને લગ્નમાં હાજરી આપી શક્યા નથી. આમાં કેટલાક ઉદ્યોગપતિઓ પણ સામેલ થશે.
આ સમાચાર પણ વાંચો : દીકરી આલિયાના લગ્નમાં ભાવુક થયો કરણ જોહર થયો, ઈમોશનલ પોસ્ટ શેર કરી ને જમાઈ રણબીર ને કહી આવી વાત
તમને જણાવી દઈએ કે અગાઉ એવી અટકળો હતી કે કપલ કોલાબાની તાજ હોટલમાં(Taj hotel) એક ભવ્ય પાર્ટીનું આયોજન કરશે. ત્યારબાદ આરકે હાઉસમાં(RK house) પાર્ટી થશે તેવું કહેવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે લગ્નની રાત્રે નીતુ કપૂર અને રિદ્ધિમા પાપારાઝીની(Papparazi) સામે આ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું હતું . તેમણે કહ્યું કે કોઈ રિસેપ્શન પાર્ટી(reception party) થવાની નથી.આલિયા અને રણબીર કપૂરના ફેન્સ વાસ્તુમાં યોજાનારી પાર્ટીની તસવીરોની રાહ જોઈ રહ્યા છે. ફેન્સ એ જાણવા માગે છે કે લગ્ન પછી આલિયા કેવા આઉટફિટ્સમાં જોવા મળશે. બોલિવૂડ સેલેબ્સ (bolywood celebs)કઈ સ્ટાઈલમાં પાર્ટીમાં હાજરી આપશે? તમને જણાવી દઈએ કે અભિનેત્રી તેના લગ્નમાં એકદમ અલગ અંદાજમાં જોવા મળી હતી. જે લોકોને ખૂબ પસંદ આવી હતી.