News Continuous Bureau | Mumbai
Ranbir Kapoor: ઉદયપુર માં ઓર્લાન્ડોના અરબપતિ અને રામ રાજુ મંટેના અને પદ્મજા મંટેનાની પુત્રી નેત્રા મંટેના ના ભવ્ય લગ્ન ચર્ચામાં છે. આ લગ્ન માં બોલીવુડના મોટા સ્ટાર્સે સ્ટેજ પર ધમાલ મચાવી — રણવીર સિંહ, જાહ્નવી કપૂર, શાહિદ કપૂર, કૃતિ સેનન, માધુરી દીક્ષિત અને નોરા ફતેહી સહિત અનેક કલાકારોએ પરફોર્મન્સ આપ્યું.રણબીર કપૂર બોલીવુડ નો એવો સ્ટાર છે જે લગ્ન માં નાચતો નથી, ભલે તેને મોટી ઓફર થાય. તાજેતરમાં એક જૂના ઈન્ટરવ્યુનો વીડિયો ફરી વાયરલ થયો છે જેમાં રણબીરે કહ્યું હતું કે તેઓ પોતાની ‘ગરિમા’ ગુમાવવા માંગતા નથી.
આ સમાચાર પણ વાંચો : Siddhant Kapoor: ઓરી પછી હવે શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર ને મુંબઈ પોલીસ એ પાઠવ્યું સમન, 252 કરોડના ડ્રગ્સ કેસમાં થશે પૂછપરછ
પરિવારના મૂલ્યો અને વ્યક્તિગત પસંદગી
એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત માં રણબીર કપૂર એ જણાવ્યું કે, “હું જે પરિવારથી આવું છું તેના કારણે હું આ કામ નહીં કરું. હું એ લોકો સામે નથી જે કરે છે, પરંતુ આ મારા મૂલ્યો નથી.” તેણે ઉમેર્યું કે પૈસા તેની પ્રેરણા નથી, તેનો જુસ્સો અભિનયમાં છે.રણબીરે કહ્યું: “હું કોઈ લગ્ન માં નાચીને મારી ડિગ્નિટી ગુમાવવા નથી માંગતો, જ્યાં લોકો દારૂનો ગ્લાસ લઈને ઉભા હોય અને ભદ્દી ટિપ્પણીઓ કરે. હું નથી ઈચ્છતો કે મારા પરિવારનો કોઈ સભ્ય આવું કરે. આ મારી વ્યક્તિગત પસંદગી છે.”
Ranbir casually shading actors for dancing at weddings
byu/Acrobatic_Neck_5866 inBollyBlindsNGossip
રણબીરે સ્પષ્ટ કર્યું કે લગ્ન માં નાચવું ખોટું નથી, પરંતુ તે માટે પૈસા કમાવવું લક્ષ્ય નથી. “મારો જુસ્સો અભિનયમાં છે, અરબો કમાવવાનો નથી,” એમ તેણે કહ્યું.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
