Site icon News Continuous Bureau | Mumbai

3 idiots : શું રેંચો, રાજુ અને ફરહાન ફરી સ્ક્રીન પર મચાવશે ધમાલ? 3 ઈડિયટ્સ ની સિક્વલનું મોટું અપડેટ આવ્યું સામે

તાજેતરમાં, ફિલ્મના રાજુ એટલે કે શર્મન જોશી એ 3 ઈડિયટ્સની સિક્વલને લઈને એક મોટું અપડેટ શેર કર્યું છે

News Continuous Bureau | Mumbai

બોલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક ‘3 ઈડિયટ્સ‘ આજે પણ લોકો એટલી જ પસંદ કરે છે જેટલી તેની રિલીઝ વખતે હતી. આજે પણ લોકોમાં ફિલ્મનો એવો જ ક્રેઝ છે. વર્ષ 2009માં રિલીઝ થયેલી આ ફિલ્મને લોકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. તાજેતરમાં શર્મન જોશીએ તેની આગામી સિરીઝ ‘કફસ’ના પ્રમોશન દરમિયાન ‘3 ઈડિયટ્સ’ ની સિક્વલ વિશે મોટી માહિતી આપી છે. જ્યારે અભિનેતાને ‘3 ઈડિયટ્સ’ની સિક્વલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે આ ફિલ્મના નિર્દેશક રાજકુમાર હિરાણી તેના બીજા ભાગની વાર્તા પર કામ કરી રહ્યા છે.

Join Our WhatsApp Channel

શર્મન જોશી એ 3 ઈડિયટ્સ ની સિક્વલ ને લઇ ને કહી આ વાત

એક ઇન્ટરવ્યુ દરમિયાન, શર્મન જોશીએ 3 ઇડિયટ્સના બીજા ભાગ વિશે કહ્યું, ‘કિતના માજા આયેગા અગર યે હુઆ તો….હું તમને બધાને કહી દઉં, રાજુ સર જાણે છે કે તમે કેટલી આતુરતાથી રાહ જોઈ રહ્યા છો. તે ક્યારેય દર્શકોને નિરાશ નથી કરતા, તેણે એક કે બે વાર કેટલીક વાર્તાઓ શેર કરી હતી પરંતુ, થોડા મહિનાઓ પછી જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે વાર્તાઓનું શું થયું, તો તેણે કહ્યું કે તે વાર્તાઓ બંધ થઈ ગઈ છે, વર્કઆઉટ થઈ રહ્યું નથી.’

આ સમાચાર પણ વાંચો: How To Sell Gold At Best Price : ઘરમાં પડેલું સોનું સારી કિંમતે વેચવું હોય તો આ વાત ધ્યાનથી વાંચો, નહીં તો થઈ શકે છે નુકસાન..

3 ઈડિયટ્સ માં શર્મન જોશી એ ભજવી હતી ભૂમિકા

ફિલ્મની સિક્વલ વિશે વધુ વાત કરતાં શર્મને કહ્યું, ‘તે આ ફિલ્મની સિક્વલ બનાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે, તે હાલમાં ફિલ્મની વાર્તા પર કામ કરી રહ્યા છે. તમે ચિંતા કરશો નહીં, જ્યારે પણ ફિલ્મની વાર્તા પૂર્ણ થશે, અમે તે વાર્તા પર કામ કરીશું, તેનો આનંદ લઈશું અને દર્શકોને તેનો આનંદ અપાવીશું. તમને જણાવી દઈએ કે વર્ષ 2009માં રિલીઝ થયેલી ફિલ્મોમાંથી 3 ઈડિયટ્સ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ફિલ્મમાં શરમન જોશી ઉપરાંત આમિર ખાન, આર માધવન, કરીના કપૂર, બોમન ઈરાની, ઓમ વૈદ્ય અને મોના સિંહ મુખ્ય ભૂમિકામાં હતા.

Vijay Rashmika Scholarship લગ્ન બાદ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાનો મોટો નિર્ણય સસરાના ગામના ૧૮૦ ગરીબ બાળકોને આપશે ભણવા માટે સ્કોલરશિપ
Yeh Rishta Replacement Rumors ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા સમાચાર ૧૭ વર્ષ બાદ બંધ થશે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’? આ નવો શો રાતોરાત કરશે રિપ્લેસ!
The Bads of Bollywood 2 બોબી દેઓલ અને આર્યન ખાનની સુપરહિટ વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ ૨’ ને લઈને આવ્યું મોટું અપડેટ જાણો ક્યારથી શરૂ થશે શૂટિંગ
Bharat Bhhagya Viddhaata Tax Free બોક્સ ઓફિસ પર ધમાકો કરશે કંગના રનૌત? ‘ભારત ભાગ્ય વિધાતા’ ને વધુ એક રાજ્યમાં મળ્યો ટેક્સ ફ્રીનો મોટો સપોર્ટ
Exit mobile version