Site icon

બર્થડે સ્પેશિયલ: જન્મતાની સાથે જ રાની મુખર્જીની થઇ હતી અદલાબદલી, માતાએ આ રીતે કરી અભિનેત્રી ની ઓળખ

અભિનેત્રી રાની મુખર્જીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તે બાળપણમાં પંજાબી પરિવાર સાથે બદલાઈ ગઈ હતી.

rani mukerji got exchanged with baby of punjabi couple at birth

બર્થડે સ્પેશિયલ: જન્મતાની સાથે જ રાની મુખર્જીની થઇ હતી અદલાબદલી, માતાએ આ રીતે કરી અભિનેત્રી ની ઓળખ

News Continuous Bureau | Mumbai

રાની મુખર્જી માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે, કારણ કે આજે તેનો જન્મદિવસ છે. રાનીનો જન્મ 21 માર્ચ 1978 ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રમાં થયો હતો, તેના પિતાનું નામ રામ મુખર્જી અને માતાનું નામ કૃષ્ણા મુખર્જી છે.બોલિવૂડ એક્ટ્રેસ રાની મુખર્જી આ દિવસોમાં તેની ફિલ્મ ‘મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે’ને લઈને ઘણી ચર્ચામાં છે. એક સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મમાં રાની માતાનો રોલ કરી રહી છે. અભિનેત્રી આ ફિલ્મમાં પોતાના પાવર પેક્ડ અભિનયથી દિલ જીતી રહી છે. આ દરમિયાન રાની મુખર્જી તેના એક જૂના ઈન્ટરવ્યુને લઈને હેડલાઈન્સમાં આવી ગઈ છે. હકીકતમાં, એક ઇન્ટરવ્યુ દરમિયાન, અભિનેત્રીએ તેના જન્મનો એક એવો કિસ્સો સંભળાવ્યો હતો, જેને સાંભળીને તમે દંગ રહી જશો. તમે જાણો છો કે પંજાબી પરિવારના બાળક સાથે જન્મ સમયે રાની ની અદલાબદલી થઇ હતી.

Join Our WhatsApp Community

 

રાની મુખર્જી એ સંભળાવ્યો કિસ્સો 

આ જાણીને તમને મોટો આંચકો લાગ્યો હશે, પરંતુ આ સત્ય છે. આ વાતનો ખુલાસો ખુદ રાની મુખર્જીએ કર્યો છે. અભિનેત્રીએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે તેનો જન્મ થયો ત્યારે તે અકસ્માતે પંજાબી કપલના રૂમમાં પહોંચી ગઈ હતી. અભિનેત્રીએ જણાવ્યું હતું કે જ્યારે તેની માતાએ બાળકને જોયું તો તે સમજી ગઈ કે તે તેનું બાળક નથી. રાનીએ જણાવ્યું હતું કે, મારી માતા એ ડોક્ટરને કહ્યું હતું કે તેમની પુત્રીની આંખો બ્રાઉન છે. આ સાથે રાની મુખર્જીની માતાએ ડૉક્ટરને તેના બાળકને શોધવા માટે કહ્યું હતું. બાદમાં રાની તેની માતાને પંજાબી પરિવાર પાસેથી મળી હતી.આ સાથે રાની મુખર્જીએ એ પણ ખુલાસો કર્યો હતો કે તે જે પંજાબી પરિવારને મળી હતી તેણે આઠમી વખત પુત્રીને જન્મ આપ્યો હતો. અભિનેત્રીએ કહ્યું હતું કે આજે પણ તેનો પરિવાર તેને મજાકમાં કહે છે કે તે પંજાબી છે અને તે ભૂલથી તેમની પાસે આવી ગઈ છે. 

રાની ની ફિલ્મી કરિયર 

રાની મુખર્જીએ 1997માં ફિલ્મ ‘રાજા કી આયેગી બારાત’ થી અભિનયની શરૂઆત કરી હતી. લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી પરંતુ પડદા પર કંઈ ખાસ બતાવી શકી નહીં. ફિલ્મ ફ્લોપ થયા પછી, અભિનેત્રી પોતાનો અધૂરો અભ્યાસ પૂરો કરવા માટે તેની કૉલેજ પાછી ગઈ. પરંતુ જ્યારે અભિનેત્રીએ જોયું કે તેની પિતરાઈ બહેન કાજોલ ઈન્ડસ્ટ્રીમાં એક પછી એક સુપરહિટ ફિલ્મો આપી રહી છે અને તેને આમ હાર માની લીધી. તેથી તેણે ફરીથી તેની અભિનય કારકિર્દી શરૂ કરી. આ પછી તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. જણાવી દઈએ કે રાનીને કરણ જોહર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ (1998) થી ઓળખ મળી હતી.

Jaya Bachchan: જયા બચ્ચનનો જડબાતોડ જવાબ: ‘પાપારાઝી થી અગસ્ત્યનું કરિયર ખતમ નહીં થાય’, જાણો બિગ બી વિશે શું કહ્યું
Dhurandhar 2: ‘શું ‘ધુરંધર 2’ બોક્સ ઓફિસ પર તોડશે તમામ રેકોર્ડ? આર. માધવને વિદેશી ચાહકોના આ પ્લાન વિશે જણાવી બધાને ચોંકાવ્યા
Love & War: શું ‘લવ એન્ડ વોર’ ભણસાલીની સૌથી મોટી હિટ સાબિત થશે? બજેટમાં ધરખમ વધારો છતાં મેકર્સ કેમ છે નિશ્ચિંત; જાણો અંદરની વિગત
Rashmika Mandanna-Vijay Deverakonda Viral Video: રણબીરની એક વાત અને રશ્મિકાના ઉડી ગયા હોશ! વિજય દેવરકોંડા સાથેના અફેરની પોલ નેશનલ ટીવી પર કેવી રીતે ખુલી? જાણો આખો કિસ્સો
Exit mobile version