News Continuous Bureau | Mumbai
Ranveer allahbadia: રણવીર અલ્લાહબાદીયા ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ માં અભદ્ર ટિપ્પણી કરીને ટ્રોલર્સ ના નિશાના પર આવ્યો હતો.અભદ્ર ટિપ્પણી કરવા બદલ યુટ્યૂબર વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. હવે આ મામલે યુટ્યૂબરે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું જેમાં તેને આ શો માં જવા પાછળ નું કારણ પણ જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો: India’s Got Latent Row: ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ મામલે નિવેદન નોંધાવા મહારાષ્ટ્ર ના સાયબર સેલ પહોંચ્યો રણવીર અલ્લાહબાદીયા, મીડિયા ને જોઈ કરી આવી હરકત, જુઓ વિડીયો
રણવીર અલ્લાહબાદીયા એ શો માં જવાનું આપ્યું કારણ
‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ કેસમાં, રણવીર અલ્હાબાદિયાએ તપાસ અધિકારી સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું જેમાં તેને પોતાની ભૂલ સ્વીકારતા જણાવ્યું કે, સમય રૈના તેનો મિત્ર છે. એટલા માટે તે શોમાં ગયો. રણવીરે પોલીસ સમક્ષ એવો પણ દાવો કર્યો હતો કે તેણે શોમાં આવવા માટે કોઈ પૈસા લીધા નથી.આ સિવાય રણવીરે પોલીસને જણાવ્યું કે ‘અમે યુટ્યુબર્સ છીએ અને તેથી જ મિત્રતાને કારણે અમે એકબીજાના શોમાં જતા રહીએ છીએ.’
રણવીર અલ્લાહબાદિયાએ પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે આટલો મોટો વિવાદ સર્જનાર વાક્ય બોલવું તેની ભૂલ હતી. રણવીરે પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. આ ઉપરાંત રણવીરે પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું કે ‘મારે તેને આવું ન કહેવું જોઈતું હતું. મને આ બધું કહેવાનો કોઈ પગાર મળતો નથી.’
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
