News Continuous Bureau | Mumbai
Ranveer Allahbadia: રણવીર અલ્લાહબાદીયા એક પોડકાસ્ટ માં પાકિસ્તાનના આતંકી કનેક્શનના પુરાવા બતાવ્યા. તેણે પ્રશ્ન કર્યો કે ઓસામા પાકિસ્તાની મિલિટરી બેસ થી 800 મીટર દૂર કેમ મળ્યો હતો અને સાથે એક તાજેતરની તસવીર પણ બતાવી. રણવીરે આ પોડકાસ્ટ માં ફેક્ટ્સ સાથે પાકિસ્તાનને એક્સપોઝ કર્યું. તેણે બે તસવીરો બતાવી અને જણાવ્યું કે કેવી રીતે પાકિસ્તાનની આર્મી આતંકીઓ સાથે જોડાયેલી છે અને તે દેશ આતંકવાદનું ગઢ બની ગયું છે. પોડકાસ્ટમાં બરખા દત્ત, પાકિસ્તાનની પૂર્વ વિદેશ મંત્રી હિના ખાર અને પાકિસ્તાન એક્સપ્રેસના ઘિયાસ શેખ હાજર હતા.
આ સમાચાર પણ વાંચો: Cannes Film Festival 2025: આજ થી શરુ થઇ રહેલા કાન્સ ફેસ્ટિવલ ની ટિકિટ ના ભાવ સાંભળી તમને પણ લાગશે ઝટકો
પાક મિલિટરી બેસની નજીક કેમ મળ્યો હતો ઓસામા?
સોશિયલ મીડિયા પર આ પોડકાસ્ટની ક્લિપ વાયરલ થઇ રહી છે. તેમાં રણવીર બોલે છે, ‘હું અહીં પુરાવા, આંકડા અને ફિગર્સ બતાવવા માંગું છું. ડોનાલ્ડ ટ્રમ્પ નો દાવો છે કે તેમણે સીઝફાયર કરાવ્યું અને પાકિસ્તાન એ જાહેરાત થયા પછી જ તેને તોડી નાખ્યું. દુનિયા સામે આ માણસ (ઓસામા બિન લાદેનની ફોટો બતાવતા) વિશે પ્રશ્ન પૂછવા માંગું છું. તે પાકિસ્તાનના એક મિલિટરી બેસ થી 800 મીટર દૂર મળ્યો હતો. દુનિયા માત્ર તેને જાણે છે પરંતુ ભારત પાસે તેના જેવા ઘણા લોકોની લિસ્ટ છે.’
“THIS is the narrative the world should know.”
Ranveer Allahbadia holds up a picture of Osama Bin Laden during Piers Morgan’s debate on the ceasefire with Pakistan.
Watch in full 👇
📺 https://t.co/Qdt5aeDU8q@piersmorgan | @BeerBicepsGuy | @BDUTT pic.twitter.com/9l0XVWZkHy
— Piers Morgan Uncensored (@PiersUncensored) May 12, 2025
તે પછી રણવીર લશ્કર-એ-તૈયબાના (Lashkar-e-Taiba) સિનિયર કમાન્ડર હાફિઝ અબ્દુલ રાઉફ નો ફોટો બતાવે છે, જેને યુએસ એ પણ ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કર્યો છે. આ ફોટોમાં હાફિઝ અબ્દુલ રાઉફ ઓપરેશન સિંદૂર પછી મરેલા આતંકીઓના જનાજામાં દેખાય છે. તેના પાછળ પાકિસ્તાની મિલિટરી ના લોકો પણ છે.રણવીર કહે છે કે ભારતે જે પગલું લીધું તે આતંકના વિરુદ્ધ જવાબ હતો. તેમાં માત્ર આતંકીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને ભારત ક્યારેય પહેલ નથી કરતું. રણવીર એ કહ્યું, ‘અમે વેક્સિન એક્સપોર્ટ કરીએ છીએ, ફિલોસોફી એક્સપોર્ટ કરીએ છીએ, અમે આખી દુનિયાને લીડર્સ અને ઇજનેર આપીએ છીએ. તેથી અમારી અર્થવ્યવસ્થા પાકિસ્તાનની અર્થવ્યવસ્થા થી 11 ગણી વધારે છે. પરંતુ પાકિસ્તાન નો નેરેટિવ છે કે આ લોકોને જુઓ, દુનિયાભરમાં સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.’
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)