News Continuous Bureau | Mumbai
Romit raj: રોમિત રાજ સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં રોહિત નું પાત્ર ભજવી રહ્યો છે. બહુ ઓછા લોકો જાણે છે કે રોમિત રાજ અને અભિનેત્રી શિલ્પા શિંદે લગ્ન ના બંધન માં બંધાવવા ના હતા. બંને ની સગાઇ પણ થઇ ગઈ હતી.પરંતુ કોઈ કારણોસર બંને ની સગાઇ તૂટી ગઈ હતી. હવે 15 વર્ષ બાદ એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત દરમિયાન રોમિતે તેના અને શિલ્પા શિંદે ના સંબંધ વિશે વાત કરી હતી
આ સમાચાર પણ વાંચો: Ankita lokhande: વિકી જૈન ની બર્થડે પાર્ટી માં સંદીપ એ અંકિતા સાથે તેના પતિ સામે કરી એવી હરકત કે ગુસ્સે થઇ ગઈ અભિનેત્રી
રોમિત રાજે શિલ્પા શિંદે વિશે કહી આવી વાત
રોમિત રાજે એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો આ દરમિયાન તેને તેના અને શિલ્પા ના સંબંધ વિશે વાત કરતા જણાવ્યું કે, ‘15 વર્ષ થઈ ગયા અને ત્યારથી અમે એકબીજાને જોયા નથી. હું એટલું જ કહી શકું છું કે જે પણ થયું તે શ્રેષ્ઠ હતું.’ તમને જણાવી દઈએ કે રોમિત રાજ અને શિલ્પા શિંદે વચ્ચેનો પ્રેમ વર્ષ 2007માં સિરિયલ ‘માયાકા’ના સેટ પર શરૂ થયો હતો. વર્ષ 2009 સુધીમાં બંનેની સગાઈ થઈ ગઈ હતી અને લગ્નની તૈયારીઓ પણ ચાલી રહી હતી. જો કે, શિલ્પા શિંદે એ પોતાનો નિર્ણય બદલ્યો અને તરત જ સગાઈ તોડી નાખી.
Exclusive: #RomitRaj breaks silence on engagement to #ShilpaShinde: “It’s Been 15 Years”https://t.co/JWGNPGvslc
— India Forums (@indiaforums) August 5, 2024
તમને જણાવી દઈએ કે શિલ્પા શિંદે ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે શિલ્પા બિગ બોસ 11 ની વિનર પણ રહી ચુકી છે. તો બીજી તરફ રોમિતે સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં રોહિત પોદ્દાર નું પાત્ર ભજવી રહેલા શિવમ ખજુરિયા ને રિપ્લેસ કર્યો છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)