Site icon

નથી અટકી રહી આદિપુરુષ ની મુશ્કેલી, સનાતન ધર્મ ની ફરિયાદમાં કરવામાં આવી હતી આ માંગ

ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફિલ્મ 'આદિપુરુષ'નું ટ્રેલર મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં પ્રભાસની સાથે કૃતિ સેનન અને સની સિંહે મહત્વની ભૂમિકા ભજવી છે.

sanatan dharma requested to cbfc for screen test before release film adipurush

નથી અટકી રહી આદિપુરુષ ની મુશ્કેલી, સનાતન ધર્મ ની ફરિયાદમાં કરવામાં આવી હતી આ માંગ

News Continuous Bureau | Mumbai

લાંબી રાહ જોયા પછી, પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ ‘આદિપુરુષ’નું ટ્રેલર 9મી મે 2023ના મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં ભગવાન રામના પાત્રમાં પ્રભાસ, માતા સીતાની ભૂમિકામાં કૃતિ સેનન, સની સિંહ ‘લક્ષ્મણ’ અને સૈફ અલી ખાન લંકેશની ભૂમિકામાં છે. ટ્રેલર રિલીઝ થયા બાદથી આ ફિલ્મ સતત ચર્ચામાં છે, પરંતુ હવે ફિલ્મના મેકર્સની મુશ્કેલીઓ વધી શકે છે. ફિલ્મ ‘આદિપુરુષ’ વિરુદ્ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સનાતન ધર્મ પ્રચારક સંજય દીનાનાથ તિવારીએ બોમ્બે હાઈકોર્ટના વકીલો મારફત આ ફરિયાદ દાખલ કરી છે.

Join Our WhatsApp Community

 

 આદિપુરુષ ના ટીઝર અને પોસ્ટર માં થઇ હતી ભૂલો 

CBFC બોર્ડ સમક્ષ કરાયેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે જે રીતે ફિલ્મ નિર્માતા અને કલાકારે ભૂતકાળમાં ઘણી વખત પોસ્ટર અને ટીઝર રિલીઝ માં ગંભીર ભૂલો કરી છે. આવી સ્થિતિમાં ફિલ્મવ ના ટીઝર રીલીઝ સમયે જો ફિલ્મ નિર્માતાઓ અને કલાકારો દ્વારા આવી ગંભીર ભૂલ થઈ શકે તો ચોક્કસ ફિલ્મ ‘આદિપુરુષ’માં આવી અનેક ભૂલો થઈ શકે તેવી પ્રબળ સંભાવના છે. . જેના કારણે ભવિષ્યમાં ફરીથી સનાતન ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાવવાની પ્રબળ સંભાવના છે. દેશમાં કાયદો અને વ્યવસ્થા સામે ખતરાની સ્થિતિ સર્જાઈ શકે છે.

 

ફિલ્મ આદિપુરુષ ને લઇ ને કરવામાં આવી આ માંગ  

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે નિર્માતા અને કલાકાર દ્વારા આ ફિલ્મ 16 જૂને રિલીઝ થવાની છે. ભવિષ્યમાં ગંભીર પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે આદિપુરુષ ફિલ્મનું સેન્સર બોર્ડ દ્વારા સ્ક્રીન ટેસ્ટ કરાવવાની માંગ કરવામાં આવી છે અને જો સ્ક્રીન ટેસ્ટમાં કોઈપણ પ્રકારનું વિવાદાસ્પદ નિરૂપણ કરવામાં આવ્યું હોય તો તેને દૂર કરવાની માંગ કરવામાં આવી છે.

Dhurandhar 2 CBFC Cuts: ‘ધુરંધર ૨’ માં સેન્સર બોર્ડની કાતર ફરી: આટલા કટ અને ‘A’ સર્ટિફિકેટ સાથે મળી મંજૂરી, જાણો કયા સીન્સ હટાવવામાં આવ્યા
Sara Ali Khan Kedarnath: શું સારા અલી ખાન હવે કેદારનાથમાં દર્શન નહીં કરી શકે? મંદિર પ્રશાસને મૂકી આકરી શરત.
Dhurandhar 2: ‘મરાઠા મંદિરમાં ‘ધુરંધર ૨’ નો ક્રેઝ: રણવીર સિંહ માટે DDLJ નો સમય બદલાયો, ૨૯ વર્ષમાં પહેલીવાર સર્જાયો આ સંયોગ
Gaurav Kapur Kritika Kamra Wedding Video: ગૌરવ કપૂર અને કૃતિકા કામરાના લગ્નનો વીડિયો વાયરલ: લાલ જોડામાં સજ્જ દુલ્હનની એન્ટ્રી જોઈ ગૌરવની આંખો છલકાઈ, જુઓ ભાવુક ક્ષણો
Exit mobile version