News Continuous Bureau | Mumbai
Sara Arjun as Madhubala: હિન્દી સિનેમાના ઇતિહાસમાં સૌથી સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી ગણાતા મધુબાલાની બાયોપિકને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. ફિલ્મ ‘ધુરંધર 2’ માં રણવીર સિંહની પત્ની ‘યાલીના’ નું પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવનાર યુવા અભિનેત્રી સારા અર્જુનનીપસંદગી આ ઐતિહાસિક ભૂમિકા માટે કરવામાં આવી છે.આ પ્રોજેક્ટના નિર્માતા દિગ્ગજ દિગ્દર્શક સંજય લીલા ભણસાલી છે, જેઓ ફિલ્મોમાં ભવ્યતા અને બારીકાઈ માટે જાણીતા છે. જ્યારે ફિલ્મનું નિર્દેશન ‘ડાર્લિંગ્સ’ ફેમ જસ્મિત કે રીન દ્વારા કરવામાં આવશે. સારા અર્જુન માટે આ તેના કરિયરનો સૌથી મોટો અને પડકારજનક વળાંક માનવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : TRP Report Week 13: TRP લિસ્ટમાં મોટો ઉલટફેર: ‘અનુપમા’ ને પછાડીને ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ બની નંબર-1, જાણો અન્ય સીરિયલ્સની હાલત
માત્ર ફિલ્મ નહીં, પણ સિનેમાઈ ‘શ્રદ્ધાંજલિ’
આ ફિલ્મનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર મધુબાલાની જીવનકથા બતાવવાનો નથી, પરંતુ ૧૯૫૦ ના દાયકાના હિન્દી સિનેમાના ‘ગોલ્ડન એરા’ ને પડદા પર જીવંત કરવાનો છે. ફિલ્મમાં મધુબાલાના કરિયરની ઊંચાઈઓ અને તેમના અંગત જીવનના ભાવનાત્મક સંઘર્ષોને એક ભવ્ય શ્રદ્ધાંજલિ તરીકે રજૂ કરવામાં આવશે. અત્યારે આ પ્રોજેક્ટ પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે.
View this post on Instagram
મધુબાલા જેવું ગ્રેસ અને ચાર્મ પડદા પર લાવવા માટે સારા અર્જુન અત્યારે સખત મહેનત કરી રહી છે. તે એક મોટા ફિઝિકલ ટ્રાન્સફોર્મેશનમાંથી પસાર થશે. મેકર્સ સારાની ડાયલોગ ટ્રેનિંગથી લઈને તે સમયના પહેરવેશ (કોસ્ચ્યુમ્સ) સુધીની દરેક નાની વસ્તુ પર બારીકાઈથી કામ કરી રહ્યા છે જેથી દર્શકો ફરી એકવાર ૧૯૫૦ ના દાયકાનો જાદુ અનુભવી શકે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)