News Continuous Bureau | Mumbai
Satish Shah Passes Away: પ્રખ્યાત અભિનેતા સતીશ શાહ નું 25 ઓક્ટોબરે નિધન થયું હતું. 26 ઓક્ટોબરે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ફિલ્મ અને ટીવી જગતના અનેક સ્ટાર્સ જેમ કે ટીકૂ તલસાનિયા, અલી અસગર, દિલીપ જોશી અને રૂપાલી ગાંગુલી હાજર રહ્યા. ‘સારાભાઈ vs સારાભાઈ’ માં સતીશ શાહ અને રૂપાલી વચ્ચે સસરા અને વહુ નો સંબંધ હતો, જે રિયલ લાઈફમાં પણ એક મજબૂત બોન્ડમાં બદલાયો હતો.
આ સમાચાર પણ વાંચો : Taarak Mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં થઇ નવી એન્ટ્રી, શું પોપટલાલ ની લગ્ન ની ઈચ્છા થશે પુરી?
રૂપાલી ગાંગુલી થઇ ભાવુક
સતીશ શાહ ના અંતિમ સંસ્કાર દરમિયાન રૂપાલી ગાંગુલી ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી અને ધ્રુસકે ધ્રસકે રડી હતી. તેણે કહ્યું કે “સતીશજી માત્ર સહઅભિનેતા નહીં, પણ પરિવારના સભ્ય જેવા હતા.” સુમીત રાઘવન પણ ખૂબ જ ભાવુક થયા અને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો જેમાં તેમણે સતીશ શાહને “ડેડ” કહીને સંબોધ્યા.
View this post on Instagram
PM નરેન્દ્ર મોદી એ પણ સતીશ શાહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું અને તેમને “એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીના સાચા દિગ્ગજ” ગણાવ્યા. અનુપમ ખેર એ પણ ભાવુક સંદેશ લખ્યો કે “3 દિવસમાં 3 દિગ્ગજ ગુમાવ્યા છે.”સતીશ શાહે ‘મૈં હૂં ના’, ‘હમ સાથ સાથ હૈ’, ‘જાને ભી દો યારો’, ‘ભૂતનાથ’, ‘હમ આપકે હૈ કૌન’ જેવી અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમનો હાસ્ય અને સંવેદનશીલ અભિનય હંમેશા યાદ રહેશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)