News Continuous Bureau | Mumbai
Shakira India Tour Cancelled: ગ્લોબલ પોપ સ્ટાર શકીરાના ભારતીય ચાહકો માટે નિરાશાજનક સમાચાર આવ્યા છે. એપ્રિલ મહિનામાં યોજાનારો શકીરાનો ભારત પ્રવાસ હાલ પૂરતો રદ કરવામાં આવ્યો છે. આયોજકોએ સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપી છે કે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધ અને જીઓ-પોલિટિકલ તણાવને કારણે સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Hrithik Roshan: ગ્રીક ગોડનો નવો અવતાર! રિતિક રોશનની ફિલ્મ ‘મેસ’ (Mess) નું પોસ્ટર રિલીઝ, પ્રાઇમ વિડિયો પર થશે મોટો ધડાકો
શા માટે રદ થયો શકીરાનો ‘ફીડિંગ ઈન્ડિયા કોન્સર્ટ’?
શકીરાનો કાર્યક્રમ ૧૦ એપ્રિલે મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સ અને ૧૫ એપ્રિલે દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં યોજાવાનો હતો. આયોજકોના જણાવ્યા અનુસાર, ૨૮ ફેબ્રુઆરીથી પશ્ચિમ એશિયામાં શરૂ થયેલા સંઘર્ષ અને અમેરિકા-ઈઝરાયેલના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈના મોતના પગલે સમગ્ર વિશ્વમાં તણાવ પ્રવર્તી રહ્યો છે. કલાકારો, પ્રોડક્શન ટીમ અને ચાહકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને આ ટુર હાલ સ્થગિત કરવામાં આવી છે.
View this post on Instagram
જે ચાહકોએ પહેલેથી જ ટિકિટ બુક કરાવી લીધી છે, તેમના માટે આયોજકોએ રાહતના સમાચાર આપ્યા છે.તમામ ટિકિટ ધારકોને તેમની પૂરી રકમ પરત કરવામાં આવશે. રિફંડની રકમ સીધી જ ગ્રાહકોના ઓરિજિનલ પેમેન્ટ ઓપ્શન (જેમ કે બેંક એકાઉન્ટ કે કાર્ડ) માં જમા કરી દેવામાં આવશે.આયોજકો અત્યારે નવી તારીખો પર વિચાર કરી રહ્યા છે અને સ્થિતિ સામાન્ય થતા જ તેની જાહેરાત કરવામાં આવશે. કોઈપણ પૂછપરછ માટે આયોજકોએ એક સત્તાવાર મેઈલ આઈડી પણ જાહેર કર્યું છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)