Site icon

શ્વેતા તિવારી ને વાંધાજનક નિવેદન આપવા બદલ થયો પસ્તાવો, અભિનેત્રીએ માંગી માફી,કહી આ વાત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 29 જાન્યુઆરી 2022         

Join Our WhatsApp Community

શનિવાર

શ્વેતા તિવારીએ ભોપાલમાં તેની વિરુદ્ધ FIR નોંધાયા બાદ વિવાદાસ્પદ નિવેદન બદલ માફી માંગી છે. તેણી કહે છે કે તે પોતે ભગવાનમાં આસ્થાવાન છે અને જાણતા-અજાણતા ક્યારેય આવી વાત ન કહી શકે. શ્વેતાએ એમ પણ કહ્યું કે તેના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે.તમને જણાવી દઈએ કે શ્વેતા તિવારીએ બુધવારે ભોપાલમાં એક ઈવેન્ટમાં બ્રાની સાઈઝને લઈને નિવેદન આપ્યું હતું. કાર્યક્રમનો વીડિયો વાયરલ થયા બાદ લોકોએ તેની સામે નારાજગી વ્યક્ત કરી હતી. મામલો એટલો વધી ગયો કે તેની સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી.

શ્વેતા તિવારીના એક નિવેદન પર હંગામો થયો છે. ભોપાલમાં એક કાર્યક્રમ દરમિયાન તેણે કહ્યું હતું કે ભગવાન તેની બ્રાનું કદ લઈ રહ્યા છે. હવે તેના સ્પષ્ટીકરણમાં, શ્વેતાએ એક નિવેદન જારી કર્યું છે અને માફી પણ માંગી છે.શ્વેતા કહે છે કે, મને ખબર પડી છે કે મારા એક નિવેદન જેમાં હું મારા  સહ કલાકાર  ની પાછલી ભૂમિકા વિશે વાત કરી રહી હતી તેનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. જ્યારે આખી વાત સાંભળવામાં આવશે ત્યારે ખબર પડશે કે હું ભગવાનની ભૂમિકા ભજવનાર સૌરભ રાજ જૈનની વાત કરી રહી હતી. લોકો પાત્રોના નામ અભિનેતાઓ સાથે જોડે છે, મેં મીડિયા સાથે વાત કરતી વખતે તેને ઉદાહરણ તરીકે લીધું હતું.

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી ની મુશ્કેલીઓ વધી, ભગવાન પર વિવાદાસ્પદ નિવેદન આપીને એક્ટ્રેસ ફસાઈ, અભિનેત્રી વિરૃદ્ધ નોંધાઈ FIR; જાણો સમગ્ર મામલો

શ્વેતાએ કહ્યું કે તેના નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે, જેના કારણે આટલો વિવાદ થયો હતો. તે ખૂબ જ દુઃખદ છે કે આને ખોટું સમજવામાં આવ્યું . મને ખુદ પરમાત્મામાં ઊંડી શ્રદ્ધા છે અને એક ભક્ત હોવાના નાતે એવું શક્ય નથી કે હું જાણી જોઈને કે અજાણતા એવું કોઈ કૃત્ય કરીશ, જેનાથી કોઈની ભાવનાઓને ઠેસ પહોંચે.. પરંતુ હું સમજું છું કે ગેરસમજ થયા પછી જ અજાણતા લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે. મહેરબાની કરીને ધ્યાનમાં રાખો કે મારો ક્યારેય કોઈને દુઃખ પહોંચાડવાનો ઈરાદો નથી. જો મેં કોઈને દુઃખ પહોંચાડ્યું હોય, તો હું તેના માટે માફી માંગુ છું.

 

Aishwarya and Abhishek: ન્યૂયોર્કની ગલીઓમાં હાથમાં હાથ નાખી ફરતા જોવા મળ્યા અભિષેક-ઐશ્વર્યા! દીકરી વગરના આ ‘ક્વોલિટી ટાઈમ’ ની તસવીરોએ ઈન્ટરનેટ પર લગાવી આગ
Dhurandhar Box Office: બોક્સ ઓફિસ પર ‘ધુરંધર’નો દબદબો: 47મા દિવસે પણ નવી ફિલ્મોને આપી રહી છે ટક્કર, રણવીર સિંહની ફિલ્મનું કલેક્શન અધધ આટલા કરોડને પાર.
Border 2 Advance Booking: થિયેટરોમાં ગુંજશે હિન્દુસ્તાન ઝિંદાબાદ! ‘બોર્ડર 2’ ના એડવાન્સ બુકિંગે મચાવ્યો હડકંપ; રિલીઝ પહેલા જ ફિલ્મે કરી કરોડોની કમાણી
TRP Week 1, 2026: રેટિંગમાં પાછળ પડી ‘અનુપમા’, શું હવે રુપાલી ગાંગુલીનો જાદુ ઓસરી રહ્યો છે? જાણો કઈ સીરિયલે મારી બાજી અને કોણ છે નંબર-1
Exit mobile version