Site icon

સિદ્ધાર્થ શુક્લા : રાત્રે તેની તબિયત બગડી, દવા લીધા બાદ તે સૂઈ ગયો, સવારે મોતના સમાચાર આવ્યા, જાણો શું થયું ત્યારે…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 2 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

 

પ્રખ્યાત ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવાર, 2 સપ્ટેમ્બરના અવસાન થયું. 40 વર્ષીય સિદ્ધાર્થનું હાર્ટ ઍટેકને કારણે મોત થયું હતું.સિદ્ધાર્થનો મૃતદેહ હાલમાં મુંબઈની કૂપર હૉસ્પિટલમાં છે, જ્યાં તેનું પૉસ્ટમૉર્ટમ ચાલી રહ્યું છે. અહેવાલ અનુસાર બુધવારે રાત્રે લગભગ 3.00 વાગ્યે સિદ્ધાર્થને છાતીમાં દુખાવો થયો, ત્યાર બાદ તેની માતાએ તેને પાણી પીવડાવ્યું. જોકે આ પછી સિદ્ધાર્થ ફરી ઊઠ્યો નહીં. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સિદ્ધાર્થ શુક્લાની તબિયત રાત્રીના ત્રણ વાગ્યાની આસપાસ અચાનક બગડી હતી. તેણે બેચેની અને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. આ અંગે તેણે તેની માતાને જણાવ્યું હતું. સિદ્ધાર્થની માતાએ તેને પાણી આપ્યું અને થોડો આરામ કર્યા બાદ તે ફરી સૂઈ ગયો. જોકે એક વાર સૂઈ ગયા પછી સિદ્ધાર્થ શુક્લા ફરી ઊઠ્યો નહીં. સિદ્ધાર્થની માતાએ તેને સવારે ઘણો અવાજ આપ્યો પણ તેની બાજુથી કોઈ હલચલ ન થઈ.

તેના પર તેની માતાએ તેની બંને પુત્રીઓ અને ડૉક્ટરને બોલાવ્યાં. ત્યાર બાદ સિદ્ધાર્થને કૂપર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. મુંબઈ પોલીસનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર તેના મૃત શરીર પર કોઈ પણ પ્રકારની ઈજાનાં કોઈ નિશાન નથી. પોલીસનું કહેવું છે કે સિદ્ધાર્થના પૉસ્ટમૉર્ટમ રિપૉર્ટની રાહ જોવાઈ રહી છે. આ સિવાય તેની સાથે રહેતા લોકોનાં નિવેદનો પણ લેવામાં આવશે. સિદ્ધાર્થના પરિવારનું કહેવું છે કે તેના મૃત્યુમાં કોઈ ષડ્યંત્ર નથી. તે નથી ઇચ્છતા કે તેના મૃત્યુ અંગે કોઈ પણ પ્રકારની અફવા ફેલાય.

શું ઇમરાન હાશ્મી ‘ટાઇગર 3’માં જોવા મળશે? અભિનેતાની આ પોસ્ટ જોઈને ચાહકો ચોંકી ગયા

હાલમાં સિદ્ધાર્થના પરિવારના સભ્યો કૂપર હૉસ્પિટલમાં પૉસ્ટમૉર્ટમ રિપૉર્ટની રાહ જોઈ રહ્યા છે. તેના અંતિમસંસ્કાર આજે થશે કે કાલે થશે એ અંગે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.

Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
The Kerala Story 2 Release Date: ‘ધ કેરલ સ્ટોરી ૨’ ની રિલીઝનો રસ્તો સાફ: હાઈકોર્ટે સ્ટે હટાવતા મેકર્સને મોટી રાહત, જાણો ક્યારે સિનેમાઘરોમાં આવશે ફિલ્મ
Accused Review: કોંકણા અને પ્રતિભા રાંટાનો દમદાર અભિનય પણ નબળી પટકથાએ બગાડી રમત; ક્લાઈમેક્સે કર્યા ફેન્સને નિરાશ
Exit mobile version