News Continuous Bureau | Mumbai
Vikram Sugumaran Passed Away: દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા ફિલ્મ નિર્માતા વિક્રમ સુગુમારન નું 47 વર્ષની ઉંમરે હાર્ટ એટેક ના કારણે નિધન થયું છે. તેઓ બસમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો થયો અને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
આ સમાચાર પણ વાંચો: Anupama new promo: અમદાવાદ છોડી મુંબઈ ની લોકલ ટ્રેન ના ધક્કા ખાતા જોવા મળી અનુપમા, રૂપાલી ગાંગુલી સાથે શરૂ થશે એક નવી સફર
બસમાં સફર દરમિયાન થયું દુર્ઘટનાજનક અવસાન
મળતી માહિતી અનુસાર, વિક્રમ સુગુમારન એક નવી સ્ક્રિપ્ટ પ્રોડ્યુસરને સંભળાવીને મદુરાઈથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો. તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ પણ તેમને બચાવી શકાયા નહીં. તેમના અવસાનથી દક્ષિણ ફિલ્મ જગતમાં શોકની લાગણી છે.વિક્રમ સુગુમારનનો જન્મ તમિલનાડુના રામનાથપુરમ જિલ્લાના પરમકુડીમાં થયો હતો. તેમણે દિગ્દર્શક બાલુ મહેન્દ્ર પાસેથી ફિલ્મ નિર્માણ શીખ્યું હતું. શરૂઆતમાં તેમણે અભિનેતા તરીકે પણ કામ કર્યું હતું અને ‘પોલાધવન’ તથા ‘કોડીવીરન’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા.
வாழ்க்கையின் அன்றாடங்களை நாம் இலகுவாக எடுத்துக் கொள்ள வேண்டும் என்பதே விக்ரம் சுகுமாறன் நமக்கு விட்டுச் செல்லும் செய்தி என நினைக்கிறேன். இறுக்கமான மனநிலை நம்மை எங்கும் இட்டுச் செல்லும் வாய்ப்பில்லை.
“I think the message Vikram Sukumaran leaves us with is that we should take the… pic.twitter.com/4MKwtyE2qJ
— Balu Manimaran (@pmn2067) June 2, 2025
વિક્રમ સુગુમારનને ખાસ કરીને તેમની ફિલ્મ ‘માધા યાનાઈ કૂટમ’ માટે ઓળખ મળેલી. તેમની છેલ્લી ફિલ્મ ‘થીરમ બોરમ’ હતી, જે પર્વતારોહણ પર આધારિત હતી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)