Swatantrya veer savarkar: ‘સ્વાતંત્ર્યવીર સાવરકર’ ફિલ્મ માં આ કારણ થી રણદીપ હુડા અંકિતા લોખંડે ને નહોતો કરવા માંગતો કાસ્ટ, અભિનેત્રી એ કર્યો ખુલાસો

Swatantrya veer savarkar: 'સ્વાતંત્ર્યવીર સાવરકર' ફિલ્મ 22 માર્ચે રિલીઝ થવાની છે. આ ફિલ્મ માં રણદીપ હુડા ની સાથે અંકિતા લોખંડે પણ જોવા મળવાની છે. હવે અંકિતા એ ખુલાસો કર્યો છે કે તે રણદીપ હુડા તેને આ ફિલ્મ માટે કાસ્ટ નહોતો કરવા માંગતો.

by Zalak Parikh
swatantrya veer savarkar randeep hooda did not want to cast ankita lokhande

News Continuous Bureau | Mumbai 

Swatantrya veer savarkar:  ‘સ્વાતંત્ર્યવીર સાવરકર’ ફિલ્મ 22 માર્ચે રિલીઝ થઇ રહી છે. જ્યારથી આ ફિલ્મ નું ટીઝર આવ્યું છે ત્યારથી લોકો આતુરતા થી આ ફિલ્મ ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ માં રણદીપ હુડા અને અંકિતા લોખંડે મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ માં રણદીપ હુડા એ અભિનય અને દિગ્દર્શન પણ કર્યું છે. રણદીપ હુડા ની નિર્દેશક તરીકે ની આ પહેલી ફિલ્મ છે. અંકિતા લોખંડે એ ખુલાસો કર્યો છે કે શા માટે રણદીપ તેને ફિલ્મમાં કાસ્ટ કરવા માંગતો ન હતો.

આ સમાચાર પણ વાંચો : Ankita lokhande: સુશાંત વિશે વાત કરવા પર અંકિતા લોખંડે એ આપી પ્રતિક્રિયા, અભિનેતા ને લઈને કહી આવી વાત

સ્વાતંત્ર્યવીર સાવરકર માં અંકિતા ને કાસ્ટ કરવા નહોતો માંગતો રણદીપ 

સ્વાતંત્ર્યવીર સાવરકર માં અંકિતા લોખંડે એ યમુનાબાઈ સાવરકર ની ભૂમિકા ભજવી છે.પરંતુ રણદીપ હુડા ફિલ્મ માં અંકિતા ને લેવા માંગતો નહતો તેનો ખુલાસો ખુદ અંકિતા એ કર્યો છે. એક મરાઠી ઇવેન્ટ માં આ વિશે જાનવતા અંકિતા એ કહ્યું, ‘રણદીપે મને કહ્યું હતું કે તેને નથી લાગતું કે હું તને ફિલ્મમાં કાસ્ટ કરવા ઈચ્છું છું. તો મેં પૂછ્યું કેમ? તો તેણે કહ્યું કે તું આ પાત્ર માટે વધુ સુંદર છે, તો મેં કહ્યું પ્લીઝ એવું ના બોલો.’ અંકિતાએ વધુમાં જણાવ્યું કે ‘રણદીપ યમુનાબાઈ સાવરકર વિશે બધું જ જાણતો હતો. તે એક સફળ પુરુષની પાછળ ઉભી રહેલી સફળ સ્ત્રી હતી.’

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More