Site icon

Taal re release: વીર ઝારા અને તુમ્બાડ બાદ હવે સુભાષ ઘાઈ ની ‘તાલ’ થઇ રહી છે ફરીથી રિલીઝ, જાણો ક્યારે જોવા મળશે ઐશ્વર્યા રાય ની ફિલ્મ

Taal re release in theater on 27 september 2024

Taal re release in theater on 27 september 2024

News Continuous Bureau | Mumbai 

Taal re release: બોલિવૂડ માં હાલ રી રિલીઝ નો ટ્રેન્ડ ચાલુ છે. વીર ઝારા અને તુમ્બાડ બાદ હવે સુભાષ ઘાઈ ની ‘તાલ’ ફિલ્મ ફરીથી રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ સુભાષ ઘાઈ એ ડિરેક્ટ કરી હતી આ ફિલ્મ માં ઐશ્વર્યા રાય, અક્ષય ખન્ના, અનિલ  કપૂર,અમરીશ પુરી અને આલોક નાથ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. હવે ફિલ્મ ની રિલીઝ ના 25 વર્ષ બાદ ફરીથી આ ફિલ્મ ને રિલીઝ કરવામાં આવી રહી છે જેની માહિતી સુભાષ ઘાઈ એ પોતે આપી છે. 

આ સમાચાર પણ વાંચો : Alia bhatt: આલિયા ભટ્ટ છે બોલિવૂડ ની આ લોકપ્રિય અભિનેત્રી ની પ્રશંસક, તે એક્ટ્રેસ ની સ્ટાઇલ ની કરતી હતી કોપી

તાલ થઇ રહી છે રી રિલીઝ 

સુભાષ ઘાઈ એ તેમના ઇન્સ્ટાગ્રામ પર આ ફિલ્મ ને લગતો એક વિડીયો શેર કરતા લખ્યું, ‘તાલ’ આવતા સપ્તાહે 27 સપ્ટેમ્બરથી ફરી સિનેમાઘરોમાં જોવા મળશે. 100 થી વધુ સિનેમાઘરોમાં આ ફિલ્મ રિલીઝ થવાની ખુશી છે. તાલ સે તાલ મિલા.’ 


સુભાષ ઘાઈ દ્વારા નિર્દેશિત ફિલ્મ તાલ, પહેલીવાર 13 ઓગસ્ટ, 1999 ના રોજ રીલિઝ થઈ હતી, હવે લગભગ 25 વર્ષ બાદ આ ફિલ્મ 27 સપ્ટેમ્બરે ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Exit mobile version