Site icon

Asit Modi : અસિત મોદી-જેનિફર મિસ્ત્રી કેસમાં અભિનેતા ગુરુચરણ એ પલટી બાજી, સાક્ષી ને પ્રભાવિત કરવા મેકર્સે રાતોરાત કર્યું આ કામ

taarak mehta ka ooltah chashmah jennifer mistry accused asit modi for influencing witness gurucharan

taarak mehta ka ooltah chashmah jennifer mistry accused asit modi for influencing witness gurucharan

News Continuous Bureau | Mumbai

Asit Modi : ટીવીની લોકપ્રિય કોમેડી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘માં શ્રીમતી રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રી લાંબા સમયથી ચર્ચામાં છે. અભિનેત્રીએ શોના નિર્માતા અસિત કુમાર મોદી પર કામ પર જાતીય સતામણી અને ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. આ સાથે જ તેની સામે એફઆઈઆર પણ નોંધાવી હતી. હવે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં વાતચીત દરમિયાન, તેણે કહ્યું છે કે તેના કેસમાં હજી સુધી કોઈ અપડેટ નથી.આ સાથે તેણે અસિત મોદી પર કેસના સાક્ષી ગુરચરણ સિંહ સોઢી ને પ્રભાવિત કરવાનો આરોપ લગાવ્યો છે.

અસિત મોદી અને જેનફર મિસ્ત્રી ના કેસ માં સાક્ષી હતો ગુરુચરણ સિંહ સોઢી

આ સમાચાર પણ વાંચો : Eknath Shinde big decision : વસઈ, વિરાર, દહાણુકર માટે સારા સમાચાર; મેટ્રોને લઈને મુખ્યમંત્રીનો મોટો નિર્ણય.. જાણો શું છે આ મુદ્દો…

એક મીડિયા સંસ્થા સાથેની વાતચીત દરમિયાન જેનિફરે કહ્યું, “ગુરચરણ મારા કેસના સાક્ષી માંથી એક છે. 9મી જૂને મને અચાનક ગુરુચરણનો ફોન આવ્યો અને તેણે અચાનક મને તેમને મળવાનું કહ્યું. તે એવા લોકોમાંનો એક હતો જેણે મને સિંગાપોરમાં અસિત મોદીથી બચાવ્યો હતો જ્યારે તેણે મારી સાથે ગેરવર્તન કર્યું હતું. તે આવીને મારી અને અસિત મોદીની વચ્ચે આવીં ને ઉભો રહ્યો જેથી તે મને સ્પર્શ ન કરી શકે. તેણે આવું એટલા માટે કર્યું કારણ કે મેં તેને અસિતજી ના વર્તન વિશે અગાઉ કહ્યું હતું..જેનિફરે આગળ કહ્યું, “ગુરુચરણે મને ફોન કર્યો અને ખાતરી આપી કે તે મારા માટે સાક્ષી બનશે. તેણે કહ્યું હતું કે તે મીડિયાની સામે આ અંગે કોઈ ટિપ્પણી નહીં કરે, પરંતુ કોર્ટમાં મારું સમર્થન કરશે. પરંતુ અચાનક 8મી જૂને તેમને ઓફિસે બોલાવીને તેમના છેલ્લા સાડા ત્રણ વર્ષથી પેન્ડિંગ નાણા આપી દીધા હતા. પછી મને સમજાયું કે હવે તે મારા પક્ષમાં નહીં બોલે. તેણે મને કહ્યું કે તે મારી અને અસિત મોદી વચ્ચે તટસ્થ રહેશે.”

Exit mobile version