News Continuous Bureau | Mumbai
Taarak mehta ka ooltah chashmah palak sidhwani: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વધુ એક વખત ચર્ચામાં આવ્યો છે. શૈલેષ લોઢા અને જેનિફર મિસ્ત્રી બાદ હવે પલક સિધવાની એ પણ શો ને અલવિદા કહી દીધું છે. તારક મહેતામાં સોનુ ની ભૂમિકામાં જોવા મળતી અભિનેત્રી પલક સિધવાની એ શો ના મેકર્સ ઉપર તેનું માનસિક શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો.પલક સિંધવાનીએ અસિત મોદી અને તેની ટીમ પર બાકી રકમ ન ચૂકવવાનો આરોપ પણ મૂક્યો હતો હવે સમાચાર આવી રહ્યા છે કે આ મામલે શો ના મેકર્સ અભિનેત્રી પર મોટી કાર્યવાહી કરશે.
આ સમાચાર પણ વાંચો : Mithun Chakraborty Dadasaheb Phalke: મિથુનદાને મળશે દાદાસાહેબ ફાળકે એવોર્ડ, વાંચો બોલિવૂડ ડિસ્કો ડાન્સરની ભારતીય સિનેમામાં નોંધપાત્ર સફર.
તારક મહેતા ના મેકર્સ કરશે પલક પર માનહાની નો કેસ
મીડિયા રિપોર્ટ મુજબ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની પ્રોડક્શન ટીમે પલક સિંધવાની સામે માનહાનિનો કેસ દાખલ કરવાનો નિર્ણય લીધો છે. નીલા પ્રોડક્શન્સે પલક સિધવાની ના આરોપો પર આ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની પ્રોડક્શન ટીમ પલક સિંધવાની પાસેથી કોન્ટ્રાક્ટ તોડવા બદલ વળતર પણ લેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પલકે કોન્ટ્રાક્ટ મુજબ 4 મહિનાનો નોટિસ પીરિયડ પૂરો કર્યો નથી, જેના કારણે તેણે વળતર ચૂકવવું પડશે.
જો કે આ મામલે અસિત મોદી કે તેમની ટીમ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.તેમજ હજુસુધી પલક એ પણ આ મામલે કઈ કહ્યું નથી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)