News Continuous Bureau | Mumbai
Dilip joshi TMKOC:લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘જેઠાલાલ’નું પાત્ર ભજવનાર અભિનેતા દિલીપ જોશી એ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. શો માં લોકો ને જેઠાલાલ અને બબીતાજી ની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવે છે. હાલમાં જ દિલીપ જોશીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે તેઓ આ શોમાંથી થોડો સમય બ્રેક લેવાના છે.
દિલીપ જોશી નો વિડીયો થયો વાયરલ
તાજેતર માં દિલીપ જોશી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીએ તેના પરિવાર સાથે તાન્ઝાનિયાની ધાર્મિક યાત્રા પર જવા માટે શોમાંથી થોડો બ્રેક લીધો છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ ન હોવા છતાં દિલીપે પોતાની પોસ્ટમાં પોતાની ધાર્મિક યાત્રાઓનો ઉલ્લેખ કર્યો છે. દિલીપ જોશી સોશિયલ મીડિયાના એટલા શોખીન નથી, તેમછતાં દિલીપની છેલ્લી પોસ્ટમાં ફરીથી તેમની ધાર્મિક યાત્રાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વીડિયોમાં દિલીપે એ પણ જણાવ્યું કે તે ધાર્મિક પ્રસંગ દરમિયાન અબુ ધાબી પણ જશે.
દિલીપ જોશી નહીં થાય ગણેશોત્સવ માં સામેલ
જેઠાલાલે ખુલાસો કર્યો કે તેઓ આ વખતે ગોકુલધામ સોસાયટી ના ગણેશોત્સવનો ભાગ બની શકશે નહીં. બાપ્પાનું સ્વાગત અને પ્રથમ આરતી કર્યા બાદ તેઓ ઈન્દોર જવા રવાના થશે. આ દ્રશ્ય એ સંકેત છે કે જેઠાલાલ થોડા દિવસો માટે શોમાંથી બહાર નીકળી રહ્યા છે કારણ કે તેઓ શૂટિંગમાંથી બ્રેક લઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Lata Mangeshkar: લતા મંગેશકર ની અધૂરી રહી ગઈ પ્રેમ કહાની, સ્વર કોકિલા ને આપવામાં આવ્યું હતું ધીમું ઝેર, જાણો સુર સામગ્રી વિશે ના સાંભળેલી વાતો
