News Continuous Bureau | Mumbai
TMKOC Jheel mehta: ઝીલ મહેતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં સોનુ ના પાત્ર માં જોવા મળી હતી.અત્યાર સુધી ચાર અભિનેત્રીઓએ સોનુનું પાત્ર ભજવ્યું છે. ઝીલ મહેતા એ વર્ષો સુધી સિરિયલ માં સોનુ નું પાત્ર ભજવ્યું હતું પછી અચાનક તેને આ શો ને અલવિદા કહી દીધું.તારક મહેતા છોડ્યા બાદ ઝીલ લાઈમલાઈટ થી દૂર છે તાજેતર માં ઝીલ મહેતા એ તેની એક્ટિંગ કરિયર અને તારક મહેતા છોડવા પાછળ નું કારણ જણાવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Aaradhya bachchan: આરાધ્યા બચ્ચન નો વધુ એક ડીપફેક વિડીયો થયો વાયરલ, આર્યન ખાન સાથેની તસવીરો જોઈ રોષે ભરાયા ચાહકો
ઝીલ મહેતા એ જણાવી હકીકત
એક મીડિયા હાઉસ સાથે વાત કરતા ઝીલ મહેતા એ જણાવ્યું કે, ‘બધી સારી બાબતોનો અંત આવવો જ જોઈએ અને વર્ષ 2012માં મેં શો છોડવાનો નિર્ણય કર્યો. લોકો મને પૂછતા રહ્યા કે મેં આટલો લોકપ્રિય શો કેમ છોડ્યો, પરંતુ મારી બોર્ડની પરીક્ષા હતી અને હું મારા અભ્યાસ પર ધ્યાન આપવા માંગતી હતી. તે એક મુશ્કેલ નિર્ણય હતો, પરંતુ મારે મારા ભવિષ્ય માટે તે કરવું પડ્યું. મેં થોડી જાહેરાતો શૂટ કરી પણ 2019 માં જ્યારે પાપાને હાર્ટ એટેક આવ્યો, ત્યારે મેં બધું બાજુ પર રાખીને પાપાને તેમના વ્યવસાયમાં મદદ કરવાનું નક્કી કર્યું. એક સમયે સ્ટુડિયો લાઇટનું સપનું જોતી નાની છોકરી હવે એક નવું સપનું જોઈ રહી હતી – એક સફળ બિઝનેસવુમન બનવાનું. અને આ સપનું પણ અભિનયની જેમ જ દિલથી હતું.’
View this post on Instagram
ઝીલ મહેતા તેના બોયફ્રેન્ડ આદિત્ય દુબે સાથે 28 ડિસેમ્બરે લગ્ન કરવા જઈ રહી છે. એક ઈન્ટરવ્યુમાં ઝીલે જણાવ્યું હતું કે આ લગ્ન એક ખાનગી સમારંભ હશે. જો કે, તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના તેના તમામ કો-સ્ટાર્સને રિસેપ્શન માટે આમંત્રિત કરશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)