દિશા વાકાણી થી લઇ ને સૌમ્યા ટંડન સુધી ટીવી ની આ અભિનેત્રીઓ એ લગ્ન બાદ છોડી દીધું પોતાનું એક્ટિંગ કરિયર 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

એક સમય હતો જ્યારે બોલિવૂડની અભિનેત્રીઓ(Bollywood actresses) જ ચાહકોમાં પ્રભુત્વ ધરાવતી હતી પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. ટીવી ઈન્ડસ્ટ્રીની(TV industry) અભિનેત્રીઓની(Actress) લોકપ્રિયતા પણ કોઈથી ઓછી નથી. લોકપ્રિયતાના મામલે તે બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ સાથે સ્પર્ધા કરે છે. ટીવી અભિનેત્રીઓના અભિનય સિવાય ચાહકો તેમની ગ્લેમરસ સ્ટાઈલના(Glamorous style) પણ દીવાના છે. દરેક વ્યક્તિ પોતાની મનપસંદ અભિનેત્રી વિશે વધુ ને વધુ જાણવા માંગે છે. પરંતુ હવે અમે તમને તે ટીવી અભિનેત્રીઓ વિશે જણાવીએ છીએ જેઓ આ ઇન્ડસ્ટ્રીથી દૂર છે. આ અભિનેત્રીઓએ પોતાના પરિવાર માટે પોતાની એક્ટિંગ કરિયર(Acting career) છોડી દીધી છે.

દિશા વાકાણી(Disha Vakani)

દિશા વાકાણીએ ટીવી સીરિયલ(TV serial) 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં(TMKOC) દયાબેન(Dayaben) બનીને લાંબા સમયથી લોકોનું મનોરંજન કર્યું છે. આ સીરિયલમાં દિશા વાકાણીનું કામ અને સ્ટાઈલ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. દિશાએ માતા બન્યા બાદ આ સિરિયલ છોડી દીધી હતી અને તે એક્ટિંગની દુનિયાથી પણ દૂર થઈ ગઈ છે. તે પોતાનો બધો સમય તેના બાળકો અને પરિવારને આપી રહી છે.

સૌમ્યા ટંડન(saumya tandon)

સૌમ્યા ટંડને ટીવી સીરિયલ 'ભાભી જી ઘર પર હૈ'માં(Bhabhiji Ghar Per Hain) ઘણી લોકપ્રિયતા મેળવી છે. આ સિરિયલમાં તેણે ગોરી મેમનું પાત્ર ભજવ્યું હતું. જો કે, સૌમ્યાએ પુત્રને જન્મ આપ્યા બાદ પોતાની જાતને એક્ટિંગની દુનિયાથી દૂર કરી લીધી હતી.

કાંચી કૌલ(Kanchi Kaul)

કાંચી કૌલ ઘણી ટીવી સિરિયલોમાં જોવા મળી છે. કાંચીએ વર્ષ 2011માં 'કુમકુમ ભાગ્ય(Kumkum Bhagya)' ફેમ એક્ટર શબીર અહલુવાલિયા(Shabir Ahluwalia) સાથે લગ્ન કર્યા હતા. કાંચીએ લગ્ન પછી જ ટીવી ઈન્ડસ્ટ્રીને(TV Industry) અલવિદા કહી દીધું. હવે તે તેના પરિવારને સમય આપે છે.

મિહિકા વર્મા(Mihika Verma)

મિહિકા વર્મા એક લોકપ્રિય અભિનેત્રી હોવાની સાથે મોડલ પણ છે. તે ટીવી સીરિયલ 'યે હૈ મોહબ્બતેં'માં(Yeh Hai Mohabbatein) જોવા મળી હતી. મિહિકાએ આ સિરિયલમાં દિવ્યાંકા ત્રિપાઠીની(Divyanka Tripathi) નાની બહેનની ભૂમિકા ભજવી હતી. મિહિકા વર્માએ લગ્ન પછી ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું. લગ્ન પછી તે અમેરિકા શિફ્ટ થઈ ગઈ.

મોહના કુમારી(Mohana Kumari)

મોહના કુમારી ટીવી સીરિયલ(TV serial) 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં જોવા મળી હતી. આ સિરિયલથી જ તેને ઘરે-ઘરે ઓળખ મળી હતી. મોહનાના લગ્ન કેબિનેટ મંત્રી સતપાલ મહારાજના પુત્ર સુયશ રાવ સાથે થયા છે. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. લગ્ન પછી મોહિનાએ અભિનયની દુનિયાને અલવિદા કહી દીધું.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More