Site icon

જ્યારે ગુસ્સામાં અમરીશ પુરીએ સેટ પર બધાની સામે ગોવિંદાને મારી હતી થપ્પડ-જાણો શું હતું કારણ

News Continuous Bureau | Mumbai

ફિલ્મોમાં અમરીશ પુરીનું (Amrish Puri)પાત્ર કઠિન સ્વભાવનું દર્શાવવામાં આવતું હતું અથવા તો તેને પડદા પર ખતરનાક વિલન તરીકે દર્શાવવામાં આવતો હતો, જેના માટે તે હજુ પણ જાણીતા છે. અમરીશ પુરી ફિલ્મો પ્રત્યે સભાન હતા અને શૂટિંગમાં સમયના પાબંદ(time punctual) હતા. પરંતુ એક દિવસ એવું બન્યું કે અમરીશ પુરીની તેના કો-સ્ટાર સાથે સમયને લઈને દલીલ થઈ. વિવાદ એટલો વધી ગયો કે તેણે અભિનેતાને થપ્પડ પણ મારી દીધી. તે અન્ય કોઈ અભિનેતા નહીં પણ ગોવિંદા હતો.

Join Our WhatsApp Community

વાત એમ હતી કે,  80 અને 90ના દાયકામાં ઈન્ડસ્ટ્રીમાં ગોવિંદાનો સિતારો(Govinda) બુલંદ પર હતો. ગોવિંદાની એકસાથે એટલી બધી ફિલ્મો હતી કે તેની પાસે આરામ કરવાનો સમય નહોતો. જે પણ ફિલ્મ આવે તે ગોવિંદા સાઈન કરી લેતો. આવી સ્થિતિમાં તેણે શિફ્ટ(shift) પ્રમાણે કામ કરવું પડતું હતું. આ દરમિયાન ગોવિંદા દરેક શૂટિંગ સેટ પર મોડો(late onset) આવતો હતો. જોકે, ફિલ્મ સાઈન કરતા પહેલા તે નિર્માતા અને દિગ્દર્શકને કહેતો હતો કે તે ઘણી ફિલ્મોમાં કામ કરી રહ્યો હોવાથી તેને મોડું થશે.આ દરમિયાન ગોવિંદા અને અમરીશ પુરી એક ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા હતા. અમરીશ પુરીને સેટ પર પહોંચવા માટે 9 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં અમરીશ પુરી પોતાના સમય (time)અનુસાર સેટ પર પહોંચ્યા અને મેકઅપ સાથે તૈયાર થઈ ગયા. તે જ સમયે, ગોવિંદા, જે તેના કામમાં વ્યસ્ત હતો, તે 9 વાગ્યાની શિફ્ટમાં પહોંચી શક્યો ન હતો. તે એટલો મોડો થઈ ગયો હતો કે તે 9ને બદલે 6 વાગ્યે સેટ પર પહોંચ્યો હતો. આ વાતથી અમરીશ પુરી ખૂબ ગુસ્સે(angry) થયા. ત્યારે સામેથી અમરીશ પુરીએ આવીને ગોવિંદા સાથે વાત કરી અને અમરીશ પુરી ગોવિંદા પર ગુસ્સે થઈ ગયા.આ જોઈને ગોવિંદા પણ ગુસ્સે થઈ ગયો અને બંને વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ. આ પછી અમરીશ પુરીએ પણ ગોવિંદાને જોરદાર થપ્પડ(slap) મારી હતી. આ ઘટના બાદ ગોવિંદા અમરીશ પુરીથી ઘણો નારાજ થઈ ગયો હતો અને તેણે અમરીશ સાથે ફરી કોઈ ફિલ્મમાં કામ કર્યું ન હતું. અમરીશે ગોવિંદા સાથે 'દો કૈદી' અને 'ફર્ઝ કી જંગ'માં કામ કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો : નેપોટિઝમ નો બાદશાહ કરણ જોહર વધુ એક સ્ટાર કિડ ને લોન્ચ કરવાની કરી રહ્યો છે તૈયારી-આ વખતે રોમેન્ટિક નહિ પરંતુ એક્શન ડ્રામા હશે ફિલ્મ

બોલિવૂડના પ્રખ્યાત વિલન અમરીશ પુરીએ પોતાની ફિલ્મી કરિયરમાં વિલન(villain) તરીકે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. ફિલ્મો પહેલા અમરીશ પુરી વીમા કંપનીમાં(insurance company) કામ કરતા હતા. અભિનય તરફ તેમનો ઝુકાવ હતો, તેથી તે પૃથ્વી થિયેટર(Prithvi theater) સાથે જોડાયા. તે એક્ટિંગમાં એટલા ડૂબી ગયા હતા કે તેમણે એક્ટિંગ માટે પોતાની 21 વર્ષની નોકરી પણ છોડી દીધી હતી. 1982માં આવેલી સુભાષ ઘાઈની ફિલ્મ ‘વિધાતા’એ તેમને વિલન તરીકે દર્શકોમાં ખાસ ઓળખ અપાવી હતી. તો આજે પણ અમરીશ પુરીને ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા’(Mister India) માં 'મોગેમ્બો'(mogembo)ના રોલ માટે યાદ કરવામાં આવે છે. 72 વર્ષની વયે અમરીશ પુરીએ દુનિયાને અલવિદા કહી દીધું.

Battle of Galwan: સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નો સીન ખરેખર લીક થયો? વાયરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, જાણો અસલી સત્ય
Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ
Kirti Kulhari: છૂટાછેડાના 4 વર્ષ બાદ કીર્તિ કુલ્હારી ફરી પ્રેમમાં: પોતાની જ ખાસ બહેનપણીના ‘રીલ પતિ’ સાથે મિલાવ્યો હાથ, નવા વર્ષે ખુલાસો!
Ikkis OTT Release : થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘ઈક્કીસ’? ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મની સ્ટ્રીમિંગ ડેટ આવી ગઈ સામે
Exit mobile version