Site icon

યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં થશે વિલનની એન્ટ્રી! હાઈ-વોલ્ટેજ ડ્રામાનો શિકાર બનશે અભિમન્યુ-અક્ષરા

:'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં આ નવો વ્યક્તિ અક્ષરા-અભિમન્યુના જીવનમાં હંગામો મચાવશે. શું અભિનવ અને અભિરનું જીવન પણ બરબાદ થઈ જશે? વિલનની એન્ટ્રીથી પરિવારમાં નવો ડ્રામા શરૂ થશે

yeh rishta kya kehlata hai villain entry in akshara abhimanyu life

યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં થશે વિલનની એન્ટ્રી! હાઈ-વોલ્ટેજ ડ્રામાનો શિકાર બનશે અભિમન્યુ-અક્ષરા

News Continuous Bureau | Mumbai

 લોકો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની દરેક સીઝનની સ્ટાર કાસ્ટને પસંદ કરે છે, શિવાંગી જોશીથી લઈને પ્રણાલી રાઠોડ સુધીની ઘણી અભિનેત્રીઓ આ શોથી ફેમસ થઈ ગઈ છે અને આજે તેમની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે. ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ટીઆરપી લિસ્ટમાં ‘અનુપમા’ અને ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ને ટક્કર આપતી જોવા મળે છે. YRKKH દરરોજ હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યું છે, જેને જોઈને ચાહકો હવે નવા ટ્વિસ્ટની રાહ જોઈ રહ્યા છે. જણાવી દઈએ કે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં અક્ષરા-અભિમન્યુના જીવનમાં એક વિલન આવવાનો છે.

Join Our WhatsApp Community

 

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં થશે વિલન ની એન્ટ્રી 

શોમાં અક્ષરાના ઘરે લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. આવી સ્થિતિમાં, નિર્માતાઓ ખુશીના વાતાવરણમાં આગ લગાવવાનું કામ કરી રહ્યા છે. મેકર્સે બનાવ્યો નવો પ્લાન, શોમાં થઈ શકે છે વિલનની એન્ટ્રી! અટકળો ચાલી રહી છે કે આગામી દિવસોમાં શોમાં એક નવી એન્ટ્રી થવાની છે, જે શર્મા પરિવાર સાથે સંબંધ ધરાવશે. હવે આ વ્યક્તિ કોણ હશે? કોણ  શોમાં ગ્રે શેડની ભૂમિકામાં જોવા મળશે?

આ અભિનેતા ભજવશે વિલન ની ભૂમિકા 

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ શોમાં હવે વધુ એક ડ્રામા જોવા મળશે. શર્મા પરિવારની ખુશીઓ પર નજર નાખનાર  આ વ્યક્તિ કોણ હશે? રિપોર્ટ્સ અનુસાર, માનસ અવસ્થી આ શોમાં ગ્રે શેડમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે, આ પહેલા માનસ અવસ્થી શો ‘પલકોન કી છાઓ મેં 2’માં જોવા મળી ચૂક્યો છે. તે જ સમયે, અભિનેતા વેબ સિરીઝ ‘ધારાવી બેંક’માં પણ જોવા મળ્યો હતો. જો રિપોર્ટ્સનું માનીએ તો શોમાં માનસ  દેવ નામ ના એક એવા વ્યક્તિનું પાત્ર ભજવશે જે શોમાં દરેકની ખુશીમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે. હવે અક્ષરા-અભિમન્યુના જીવનની સાથે આરોહી, અભિનવ અને અભીર ના જીવનમાં પણ સમસ્યાઓ આવશે. કૃઅથવા તો શોમાં એવું પણ બને કે,અક્ષરાના બીજા પતિ અભિનવનું મૃત્યુ થઈ શકે છે અને તેના પછી અભિમન્યુ અક્ષરા અને અભીર ની જવાબદારી લે.હવે મેકર્સે આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી. 

આ સમાચાર પણ વાંચો: પહેચાન કૌન- ‘બચ્ચે મન કે સચ્ચે’ ગીત માં જોવા મળેલી આ સુંદર નાની બાળકી હવે છે તે બોલિવૂડના ટોચના અભિનેતા ની માતા, જાણો તે અભિનેત્રી વિશે

Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ
Prem Chopra: ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપરા પણ થયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો હવે કેવી છે તેમની તબિયત
Dharmendra 90th Birthday: ધર્મેન્દ્ર નો 90 મોં જન્મદિવસ હશે ખાસ, અભિનેતા ના આ દિવસ ને યાદગાર બનાવવા પરિવાર કરી રહ્યો છે આવી ખાસ તૈયારી
Sholay Re-Release: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’આટલી સ્ક્રીન પર રિલીઝ થશે ‘શોલે’, જાણો ક્યારે અને ક્યાં જોશો!
Exit mobile version