Site icon

Private Investment: સનરાઇઝ ટેકનોલોજીમાં ખાનગી રોકાણને વેગ આપવા નાણાં મંત્રીએ અધધ આટલા લાખ કરોડ રૂપિયાના નવા ભંડોળનો પ્રસ્તાવ મૂક્યો.

Private Investment: સનરાઇઝ ટેકનોલોજીમાં ખાનગી રોકાણને વેગ આપવા માટે નાણાં મંત્રીએ એક લાખ કરોડ રૂપિયાના નવા ભંડોળનો પ્રસ્તાવ મૂક્યો. શ્રીમતી નિર્મલા સીતારામન કહે છે, "આ આપણા ટેક સેવી યુવાનો માટે સુવર્ણ યુગની નિશાની છે. કોર્પસની સ્થાપના પચાસ વર્ષની વ્યાજ મુક્ત લોન સાથે કરવામાં આવશે સંરક્ષણ ક્ષેત્રમાં ડીપ-ટેક ટેકનોલોજીને મજબૂત કરવા અને 'પરમાણુ'ને ઝડપી બનાવવા માટે એક નવી યોજનાનો પ્રસ્તાવ નવા યુગની ટેકનોલોજી અને ડેટા લોકો અને વ્યવસાયોના જીવનમાં પરિવર્તન લાવે છેઃ નાણાં મંત્રી.

The finance minister proposed a new fund of half a lakh crore rupees to boost private investment in sunrise technology.

The finance minister proposed a new fund of half a lakh crore rupees to boost private investment in sunrise technology.

News Continuous Bureau | Mumbai 

Private Investment: સરકારે સૂર્યોદય ટેકનોલોજીમાં ( Sunrise Technology ) ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવા માટે એક લાખ કરોડ રૂપિયાનું ભંડોળ ઊભું કરવાની દરખાસ્ત રજૂ કરી છે. 

Join Our WhatsApp Community

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને ( Nirmala Sitharaman ) કાલે સંસદમાં વચગાળાનું બજેટ 2024-25 ( Budget 2024 ) રજૂ કરતાં કહ્યું હતું કે, આ )આપણાં ટેક સેવી યુવાનો ( Tech savvy youth ) માટે સુવર્ણ યુગની નિશાની છે.

પચાસ વર્ષના વ્યાજ મુક્ત લોન ( Interest free loan ) સાથે કોર્પસની સ્થાપના કરવામાં આવશે. તે લાંબા ગાળાના ગાળા અને નીચા અથવા શૂન્ય વ્યાજ દરો સાથે લાંબા ગાળાના ફાઇનાન્સિંગ ( financing ) અથવા રિફાઇનાન્સિંગ ( Refinancing ) પ્રદાન કરશે.

“આ ખાનગી ક્ષેત્રને સૂર્યોદયના ક્ષેત્રમાં સંશોધન અને નવીનતાને નોંધપાત્ર રીતે વધારવા માટે પ્રોત્સાહિત કરશે. નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, આપણી પાસે એવા કાર્યક્રમોની જરૂર છે જે આપણા યુવાનો અને ટેકનોલોજીની શક્તિઓને જોડે.

શ્રીમતી સીતારામને સંરક્ષણ હેતુઓ માટે ડીપ-ટેક ટેક્નોલોજીને મજબૂત કરવા અને ‘આત્મનિર્ભરતા’ને ઝડપી બનાવવા માટે એક નવી યોજના શરૂ કરવાની દરખાસ્ત પણ કરી હતી.

તકનીકી ફેરફારો

નવા યુગની ટેકનોલોજી અને ડેટા લોકો અને વ્યવસાયોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યા છે એ બાબત તરફ ધ્યાન દોરતા નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ નવી આર્થિક તકોને પણ સક્ષમ કરી રહી છે અને ‘પિરામિડના તળિયે’ હોય તેવી સેવાઓ સહિત તમામ માટે વાજબી કિંમતે ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેવાઓની જોગવાઈને સરળ બનાવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Nirmala Sitharaman: નાણામંત્રી નિર્મલા સીતારમણે ‘અમૃત કાળ’ માટે રજૂ કરી વ્યૂહરચના, તમામ માટે કરશે તકોનું સર્જન..

વૈશ્વિક સ્તરે ભારત માટે તકો વિસ્તરી રહી છે એમ જણાવતાં શ્રીમતી સીતારામને કહ્યું હતું કે, “ભારત તેના લોકોની નવીનતા અને ઉદ્યોગસાહસિકતા મારફતે સમાધાનો પ્રદર્શિત કરી રહ્યું છે.”

સંશોધન અને નવીનીકરણ

રિસર્ચ અને ઇનોવેશન ભારતના વિકાસને ઉત્તેજિત કરશે, રોજગારીનું સર્જન કરશે અને વિકાસ તરફ દોરી જશે તેના પર ભાર મૂકતા શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ “જય જવાન જય કિસાન”નું સૂત્ર આપ્યું હતું અને પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે “જય જવાન જય કિસાન જય વિજ્ઞાન”.

“પ્રધાનમંત્રી મોદીએ આગળ કહ્યું છે કે “જય જવાન જય કિસાન જય વિજ્ઞાન અને જય અનુસંધાન”, કારણ કે નવીનતા એ વિકાસનો પાયો છે, “તેણીએ જણાવ્યું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version