News Continuous Bureau | Mumbai
આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી(International air travel) શરૂ થયે હજી એક મહિનો પણ નથી થયો ત્યાં ફરી હવાઈ મુસાફરી પર કોરોનાનો(Corona) ઓછાયો વર્તાઈ રહ્યો છે.
ચીનમાં(China) વધતા કોરોના સંક્રમણને પગલે હોંગકોંગની(Hongkong) ફ્લાઈટ(Flight) પર 24 એપ્રિલ સુધી પ્રતિબંધ(Restriction) મૂકવામાં આવ્યો છે.
હોંગકોંગ ફ્લાઈટમાં ત્રણ પેસેન્જરોને(Passenger) કોરોના સંક્રમિત મળ્યા બાદ ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
સોમવારે આપવામાં આવેલા એક નિવેદનમાં એર ઈન્ડિયાએ(Air India) કહ્યું કે ભારતના પ્રવાસીઓ(Indian passenger) ત્યારે જ હોંગકોંગ જઈ શકે છે જો તેમની પાસે મુસાફરીના 48 કલાક પહેલા કોરોના ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ(Negative Report) આવે.
આ ઉપરાંત તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે હોંગકોંગના એરપોર્ટ પરિસરમાં પહોંચ્યા પછી કોરોના ટેસ્ટ(Covid Test) કરાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આશરે બે વર્ષ સુધીના લાંબા પ્રતિબંધ પછી ભારતમાં 27 માર્ચે નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : ના હોય, હવે ચાલાક ડ્રેગનની ચીની મીડિયામાં ભારતના ખોબલે ખોબલે થઈ રહ્યા છે વખાણ, જાણો શું છે મામલો