યુએઈ બાદ હવે ભારતથી ભાગેલા દુષ્કર્મ કેસના ભાગેડુ આરોપી નિત્યાનંદે પણ પોતાના દેશ “કૈલાસા”મા ભારતીયોના પ્રવેશ પર રોક લગાવી દીધી છે.
ખુદને ભગવાન તરીકે બતાવનારા નિત્યાનંદે આ નિર્ણય કોરોના સંક્રમણના કારણે લીધો હોવાનું જણાવ્યું છે.
નિત્યાનંદે પોતાના આદેશમાં કહ્યું છે કે, ભારત ઉપરાંત બ્રાઝીલ, યુરોપિયન યુનિયન અને મલેશિયાથી આવનારા મુસાફરો પર પણ “કૈલાસા”માં રોક લગાવવામાં આવે છે.