Site icon

અફઘાનિસ્તાનમાં સ્થિતિ વધુ વણસી,  તાલિબાને અફઘાન એરસ્પેસ કર્યો બંધ ; એર ઈન્ડિયાએ લીધો આ મહત્વનો નિર્ણય

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

સોમવાર

અફઘાનિસ્તાનમાં તાલિબાનોની એન્ટ્રી બાદ સ્થિતિ વણસી છે અને લોકો કાબુલ છોડવા માટે મરણીયા બન્યા છે. ત્યારે ગંભીર સ્થિતિને ધ્યાને લેતા હવે એરસ્પેસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મળતી જાણકારી પ્રમાણે, કાબુલ હવાઈ મથકથી પરથી તમામ પ્રકારની ફ્લાઈટ્સ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ અફઘાનિસ્તાન જવા રવાના થનારી એર ઈન્ડિયાની ફ્લાઈટ પણ  રદ્દ કરવામાં આવી છે.  

ભારત સરકાર દ્વારા અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલથી પોતાના નાગરિકો અને કર્મચારીઓને રેસ્ક્યૂ કરવા માટે આજે 12.30 વાગે એક સ્પેશિયલ વિમાન મોકલવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાને દહેશત મચાવી છે અને આખા અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ દેશ છોડી ચૂક્યા છે અને કાબૂલમાં પણ તાલિબાને પોતાનો ઝંડો લહેરાવ્યો છે.

મહારાષ્ટ્રમાં છૂટ આપવાનો નિર્ણય જોખમી સાબિત થશે? મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસના ત્રણ અલગ વેરિયન્ટ મળી આવ્યા; જાણો વિગત 

Pakistan: શું પાકિસ્તાન ચીન અને અમેરિકા સાથે ‘ડબલ ગેમ’ રમીને વિનાશને આમંત્રણ આપી રહ્યું છે?
Indo-Pakistan War: ડેલુલુ ૧૦૧ ભારત સાથેના ચાર દિવસના યુદ્ધ પર પાકિસ્તાનનો નવો અભ્યાસક્રમ
India,Pakistan: ખૈબર પખ્તુનખ્વાના હુમલા પર ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકને આડે હાથે લેતા લગાવ્યો આ આરોપ
Narendra Modi: આવતા મહિને મળી શકે છે મોદી અને ટ્રમ્પ, મલેશિયામાં યોજાનાર આસિયાન શિખર સંમેલન પર ટકેલી છે સૌ ની નજર
Exit mobile version