Site icon

અફઘાન મામલે નવાજુની કરવાની તૈયારીમાં ભારત સરકાર, PM મોદી 26 ઓગસ્ટે કરશે આ મોટું કામ, વિદેશમંત્રીની જાહેરાત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 23 ઓગસ્ટ  2021

Join Our WhatsApp Community

સોમવાર.

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ સર્જાયેલી સ્થિતિને લઇને ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે.

કેન્દ્રીય વિદેશમંત્રી એસ જયશંકરે આ માહિતી આપતા જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીએ અફઘાન મુદ્દે ચર્ચા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બેઠક 26 ઓગસ્ટે સવારના 11 વાગ્યે થશે. 

આ સાથે જ તેમણે કહ્યું કે બેઠકમાં વિદેશ મંત્રાલય વિપક્ષના તમામ સવાલોના જવાબ આપશે.

જ્યારથી અફઘાનમા તાલિબાની શાસન આવ્યું છે ત્યારથી વિપક્ષ સતત સવાલ ઉઠાવી રહ્યાં છે કે ભારતે અફઘાનમાં મોટા પ્રમાણમાં રોકાણ કરી રાખ્યું હોવાથી હવે ભારતની અફઘાન મુદ્દે કઈ રણનીતિ છે તેની જાણકારી દેશને મળવી જોઈએ. વિપક્ષના આ સવાલનો જવાબ આપવા માટે બેઠક બોલાવાઈ છે.

ઉલેખનીય છે કે અફઘાનિસ્તાનની રાજધાનીમાંથી તેના નાગરિકોને બહાર કાઢવાના તેના પ્રયાસોના ભાગરૂપે, ભારત તેની ચાર ફ્લાઇટ દ્વારા અત્યાર સુધીમાં બે અફઘાન ધારાસભ્યો સહિત 400 થી વધુ લોકોને પરત લાવ્યું છે.

 'ટાઈગર 3'ના સેટ પરથી સલમાનનો ફર્સ્ટ લુક થયો લીક, લાંબા વાળ અને દાઢીમાં ઓળખવા મુશ્કેલ ; જુઓ તસ્વીરો

Peru: પેરૂમાં રાજકીય સંકટ: નવા રાષ્ટ્રપતિ સામે ઉગ્ર વિરોધ, હિંસા ફાટી નીકળતાં એક વ્યક્તિનું મોત અને આટલા થયા ઘાયલ
Shahbaz Sharif: પાકિસ્તાનની બેવડી નીતિ: તાલિબાનના હુમલાથી ગભરાઈને ભારત પર દોષ ઢોળ્યો, પણ શાંતિ વાટાઘાટોની લગાવી ગુહાર
Kapil Sharma: કેનેડામાં કપિલ શર્માના ‘કેપ્સ કેફે’ પર ફરી ગોળીબાર: લોરેન્સ ગેંગે જવાબદારી લીધી, મોટા ખંડણીની આશંકા
Ashley J Tellis: એશ્લે ટેલિસનો ટ્રમ્પ પ્રશાસન પર મોટો પલટવાર: ‘મને ફસાવવામાં આવ્યો, અમેરિકામાં પૂરી શક્તિથી લડીશું કેસ’
Exit mobile version