તો શું આતંકવાદી હુમલાથી મુન્દ્રા પોર્ટ માંડ માંડ બચ્યું ??જાણો ઇઝરાયેલી જહાજ પર શું થયું.

by Dr. Mayur Parikh

ગત મહિને ઇઝરાયલ નાએક cargo ship પર મધદરિયે હુમલો થયો હતો.એવું માનવામાં આવે છે કે એ હુમલો ઈરાન દ્વારા થયો હતો. શુક્રવારે ફરીથી ઇઝરાયેલી જહાજ પર હુમલાની બીજી ઘટના બની છે.


    ઇઝરાયેલનુ એમટી લોરી નામનું શીપ મિસાઈલ થી ઘાયલ થઈને શુક્રવારે મોડી રાત્રે મુન્દ્રા બંદરે આવી પહોંચ્યું છે. એમ ટી લોરી ઇઝરાયેલ ની XT મેનેજમેન્ટ કંપની નું છે.કાર્ગો ભરીને આ શિપ તાંઝાનિયા થી મુન્દ્રા તરફ આવી રહ્યું હતું. ત્યાં જ મધદરિયે બે નાની મિસાઈલ થી શિપ પર હુમલો કરવામાં આવ્યો હતો.જેના કારણે શિપમાં અફરાતફરી મચી ગઇ અને એન્જિન ના ભાગમાં ભારે નુકસાન થયું હતું. જો કે હુમલામાં બાદ પણ શિપ પોર્ટ પર સફળતાપૂર્વક પહોંચ્યું હતું. આ સમગ્ર ઘટનામાં જોવા જેવી બાબત એ છે કે જો ઇઝરાયેલી શીપ મુન્દ્રા પોર્ટ ની વધારે નજીક હોત તો મુદ્રા પોર્ટ પર લાંગરવામાં આવેલા બીજા જહાજોને અથવા મુન્દ્રા પોર્ટ ને પણ નુકસાન થઇ શકત.
      ઉલ્લેખનીય છે કે,અરબી સમુદ્રના જળમાર્ગમાં હુમલાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. ઇઝરાયેલી જહાજ પર થયેલા હુમલાથી એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે અને હુમલો કોણે કરાવ્યો તેની તપાસ  કરશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More